નોકરી આપો નહીં તો મોદીજી સિંહાસન છોડો : રાહુલ ગાંધી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કાં તો નોકરી આપો અને ગેસના ભાવ ઓછા કરો નહીં તો સિંહાસન ખાલી કરો. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી એક તરફ આવી રહી છે. ત્યાં જ ભાજપ અને કોંગ્રેસ એક પછી એક એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારો તેજ થઇ રહ્યા છે. રવિવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના અધિકૃત ટ્વિટર પરથી એક ટ્વિટ કરીને મોદી સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોંઘો ગેસ, મોંધુ રાશન આપી તમે ખાલી ખોટા પોલા વચનો આપી રહ્યા છે. દામ બંધ કરો અને રોજગાર આપો નહીં તો તમારું સિંહાસન ખાલી કરો. આમ રાહુલ ગાંધીએ આ ટ્વિટ દ્વારા મોદીના રાજીનામાની વાત કરી છે.
महंगी गैस, महंगा राशन
— Office of RG (@OfficeOfRG) November 5, 2017
बंद करो खोखला भाषण
दाम बांधो, काम दो
वर्ना खाली करो सिंहासन https://t.co/LMd2KL0N5t
ઉલ્લેખનીય છે કે આજે હિમાચલ પ્રદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે હવે કોઇ પંજાને ભારતની તિજોરી પર તરાપ નહીં મારવા દઉં. તેના જવાબમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાલી ખોટા વચનો આપે છે. અને જો તેમને દેશની બગડતી અર્થવ્યવસ્થા ના સંભળાતી હોય તો તે ખુરશી છોડીને જઇ શકે છે. નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ થોડા સમય પહેલા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમણે ભાજપ પર એક પછી એક તેજ પ્રહારો કર્યા હતા.