Gyanvapi Masjid Case: અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે પર રોક લગાવવાનો કર્યો ઈનકાર

Gyanvapi ASI Survey: ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વેને લઈને મોટો નિર્ણય આવ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે અને સર્વે ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

જ્ઞાનવાપી સર્વે કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે પર સ્ટે આપવામાં આવશે નહીં. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.

Gyanvapi Masjid

અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા મસ્જિદ સંકુલના ASI સર્વેક્ષણને પડકારતી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દીધી હતી. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસી જિલ્લા ન્યાયાધીશના 21 જુલાઈના આદેશને પડકાર્યો હતો.

વાસ્તવમાં, મુસ્લિમ પક્ષે સર્વેક્ષણમાંથી માળખાને નુકસાન વિશે કહ્યું હતું, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી અને તેમાં કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે પરિસરને કોઈ નુકસાન નહીં થાય. અલાહાબાદ હાઈકોર્ટે એએસઆઈની એફિડેવિટ વાંચીને આ ચુકાદો આપ્યો છે. હવે કોર્ટના આ નિર્ણય બાદ ASI ગમે ત્યારે મસ્જિદ પરિસરનો સર્વે શરૂ કરી શકે છે. હિંદુ પક્ષના વકીલ અનુસાર, કોર્ટે એ પણ સ્વીકાર્યું કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X