કોરોના કાળમાં હવે હરિદ્વાર કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવામાં આવેઃ પીએમ મોદી
કોરોના કાળમાં હવે હરિદ્વાર કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવામાં આવેઃ પીએમ મોદી
એક તરફ દેશભરમાં કોરોનાએ કહેર મચાવી રાખ્યો છે ત્યાં બીજી તરફ હરિદ્વારમાં ભવ્ય કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હરિદ્વાર કુંભ મેળામાં વધી રહેલા કોરોના સંકટને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે આ કોરોના કાળમાં હવે કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવો જોઈએ.

પીએમ મોદીએ શનિવારે સવારે ટ્વીટ કરી કહ્યું કે, "આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે મેં વાત કરી છે. તમામ સંતોના સ્વાસ્થ્યનો રિપોર્ટ મેળવ્યો છે. તમામ સંતગણ પ્રશાસનને હરેક પ્રકારનો સહયોગ પણ આપી રહ્યા છે. જેના માટે મેં સંત સમાજનો આભાર વ્યક્ત કર્યો છે. સંત સમાજને મેં અનુરોધ કર્યો છે કે બે શાહી સ્નાન થઈ ચૂક્યાં છે માટે કોરોના વાયરસના સંકટને જોતાં કુંભ મેળાને હવે પ્રતીકાત્મક જ રાખવામાં આવે. આનાથી આ સંકટ સામેની લડાઈને એક તાકાત મળશે."
જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્વામી અવધેશાનંદ ગિરિએ કહ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોના જીવનની રક્ષા મહત્વપૂર્ણ છે. ધર્મ પરાયણ જનતાને મારો અનુરોધ છે કે કોરોના વાયરસની પરિસ્થિતિઓને જોતાં વધુ સંખ્યામાં સ્નાન માટે લોકો કુંભમાં ના આવે અને નિયમોનું પાલન કરે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
