જાતિવાદનું રાજકારણ કરે છે ભાજપ, હવે રાહુલ ગાંધી જ દેશની આશા
Haryana assembly election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે એટલે કે 5 ઓક્ટોબરના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે જોડતોડની રાજનીતિ ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી છોડીને પૂર્વ સાંસદ અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા હતા.
ભારતીય જનતા પાર્ટી છોડ્યા બાદ અશોક તંવરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે તેમણે રાહુલ ગાંધીના ભારોભાર વખાણ કર્યા હતા. આ સાથે તેમણે ભાજપ પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.
સિરસાના પૂર્વ સાંસદ અશોક તંવરે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા બાદ લોકોનો કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ વધ્યો છે, અને રાહુલ ગાંધી એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ સાથે તેમણે ભાજપ પર ધર્મ અને જાતિની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
સાંસદ અશોક તંવરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સંવિધાનને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે, તેમણે ભારત જોડો યાત્રા દ્વારા દેશને દિશા આપી છે, કોંગ્રેસ જ્યારે મજબૂત હશે, ત્યારે જ દેશ આગળ વધશે.
આ સાથે તંવરે એમ પણ જણાવ્યું હતું કે, આખો દેશ ઇચ્છે છે કે, રાહુલ ગાંધી ભારતનું નેતૃત્વ કરે. તેમણે હરિયાણાના દલિતો અને પછાત લોકોને આવતીકાલે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને હરિયાણાને મજબૂત કરવા વિનંતી કરી હતી.

સાંસદ અશોક તંવરે આગળ જણાવ્યું કે, મારી રાજકીય કારકિર્દી કોંગ્રેસથી શરૂ થઈ. હું થોડા મહિના ભાજપ સાથે હતો, પરંતુ ત્યાંના બંધારણ અને બાબાસાહેબમાં વિશ્વાસ નથી. ભાજપમાં દલિત નેતાઓનો અને બંધારણમાં અનાદર થાય છે, આ સાથે દલિત નેતાઓના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે.
અત્રે નોંધનીય બાબત છે કે, અશોક તંવર લોકસભા ચૂંટણી પહેલા જાન્યુઆરી મહિનામાં ભાજપમાં જોડાયા હતા. કારણ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર હુડ્ડા સાથે તેમને મતભેદ થયો હતો.
અશોક તંવર સિરસાથી લોકસભા સાંસદ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. વર્ષ 2019માં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. જે બાદ તેઓ આમ આદમી પાર્ટી અને પછીથી ભાજપમાં જોડાયા હતા.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
