હરિયાણા સરકાર તરફથી મોટી કાર્યવાહી, હટાવામાં આ્યા નૂંહના એસપી વરુણ સિંગલા, IPS નરેન્દ્ર બિજારનિયાને મળી કમાન
હરિયાણાના નૂંહ અને ગુરુગ્રામ સહિત ઘણા વિસ્તારોમાં હિંસા બાદ મનોહર લાલ ખટ્ટર સરકારે મોટુ પગલુ લેતા નૂહના એસપીની બદલી કરી નાખી છે. હરિયાણા સરકારે નૂંહના એસપી વરુણ સિંગલને હટાવતા તેમને ભિવાનીના એસપી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ આઇપીએસ અધિકારી નરેન્દ્ર બિજારનિયાને નૂહના નવા એસપી બનાવામાં આવ્યા છે.

તમને જણાવી દઇએ કે, સિંગલ હરિયાણા કેડરથી 2017 બેચના આઇપીએસ અધિકારી છે. તો ચાંદપુર ગામમાં રહેનાર આઇપીએસ નરેન્દ્ર બિજારનિયા 2015 બેચના છે. નરેન્દ્ર બિજારનિયા આ પહેલા ફેબ્રુઆરી 2020 થી લઇને ઓક્ટોબર 2021 સુધી નૂંહના એસપી રહી ચૂક્યા છે. નૂંહમાં તેમનો અનુભવને ધ્યાનમાં રાખીને પ્રદેશ ડીજીપીએ પીકે અગ્રવાલે નરેન્દ્ર બિજારનિયાને ફરી નૂંહના એસપીની કમાન સોપી છે.
ઉલ્લેખનીય છે કે, નૂંહ અને ગુરુગ્રામ હિંસા બાદ હરિયાણાં પોલીસે અત્યાર સુધીમાં 83 એફઆઇઆર દાખલ કરી છે. આા મામલે અત્યાર સુધી 159 લોકોની ધરપક કરવામાં આવી છે. નૂંહ પ્રશાસને હિંસામાં 6 લોકોના મૌતની પુષ્ટી કરી છે.












Click it and Unblock the Notifications
