For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી મુસ્લિમોની મદદ કરનારા સૌથી સારા વ્યક્તિ: હાશિમ અંસારી

|
Google Oneindia Gujarati News

ફૈઝાબાદ, 3 ડિસેમ્બર: બાબરી મસ્જિદ કેસના મુસ્લિમ પૈરોકાર અને મુદ્દઇ હાશિમ અંસારીએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે મોદીને રાજકીય

ફાયદો નહીં ઊઠાવનાર અને કોમની મદદ કરનાર સારા વ્યક્તિ છે. આ પહેલા હાશિમે બાબરી મસ્જિદ કેસની વકાલત નહીં કરવા અને રામલલાને આઝાદ જોવાની ઇચ્છા વ્યક્ત કરતા ચકચાર મચાવી દીધી હતી.

હાશિમે જણાવ્યું કે મોદી એટલા માટે સારા વ્યક્તિ છે, કારણ કે તેમણે બનારસમાં અંસારિઓ માટે ઘણું બધું કર્યું છે અને ઘણું બધું કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મોદી જેમની મદદ કરી રહ્યા છે, તેઓ પણ અંસારી છે અને હું પણ અંસારી છું. એટલા માટે અંસારી મોદીનો સાથ આપી રહ્યા છે. તેમના કારણે હું પણ મોદીનો સાથ આપીશ. મોદી અમારી કોમ માટે કાળજીપૂર્ણ છે અને તેમનો લાભ ઇચ્છે છે.

92 વર્ષીય હાશિમ અંસારી છેલ્લા 65 વર્ષથી બાબરી મસ્જિદનો કેસ લડી રહ્યા છે. તેમની સૌથી મોટી ખાસીયત એ છે કે આ કેસમાં તેઓ મુસ્લિમ પક્ષ તરફથી સૌથી દમદાર વકાલત કરનારા માનવામાં આવે છે.

modi
હાશિમે જણાવ્યું કે રાજનીતિ કરનારાઓ સત્તાના પૈસા લઇને પોતાનો રાજકીય ફાયદો ઊઠાવે છે, પરંતુ વડાપ્રધાન મોદી પોતાના એમપી, એમએલએથી એક-એક રૂપિયાનો હિસાબ માંગે છે. તેઓ કહે છે કે જે રૂપિયો લઇ ગયા છો, પહેલા તેનો હિસાબ આપો. ત્યારબાદ બીજો રૂપિયો મળશે.

હાશિમે જણાવ્યું કે એમપી, એમએલએ સત્તા પાસેથી રૂપિયા લઇ જાય છે, પરંતુ દેશ પર ખર્ચ નથી કરતા. મોદી તેમની પાસે હિસાબ તો માંગી રહ્યા છે. માટે મોદી સૌથી સુંદર વ્યક્તિ છે અને હું તેમનું સમર્થન કરું છું.

કહી દઇએ કે 1949માં જ્યારે વિવાદિત સ્થળથી મૂર્તિઓ મળી હતી, તે સમયે જે લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમાં હાશિમ હણ હતા. 1961માં જ્યારે વક્ફ બોર્ડે કેસ ફાઇલ કર્યો હતો, તેમાં પણ હાશિમ મુદ્દઇ બનાવવામાં આવ્યા હતા.

English summary
PM Narendra Modi is Good Man for muslim community says Hashim Ansari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X