Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાથરસ ગેંગરેપઃ પીડિતાના પિતાએ પોલિસના દાવાને ફગાવ્યો, અમારી ગેરહાજરીમાં અંતિમ સંસ્કાર

બુધવારે પીડિતાના પિતાએ મીડિયાકર્મી સાથે વાત કરીને પોલિસના દાવા પર નિવેદન આપ્યુ છે.

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં થયેલી હેવાનિયતે એક વાર ફરીથી નિર્ભયા ગેંગરેપની યાદ અપાવી દીધી. હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારવાળાનો આરોપ છે કે દીકરીના મોત બાદ તેમની મરજી વિરુદ્ધ બળજબરીથી તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. ગેંગરેપ કાંડ અને પરિવારજવોના આરોપ બાદ હવે યુપી સરકાર ઉપર સવાલ ઉઠી રહ્યા છે. આ દરમિયાન પોલિસનુ કહેવુ છે કે અંતિમ સંસ્કાર સમયે પીડિતાના પરિવારજન હાજર હતા. બુધવારે પીડિતાના પિતાએ મીડિયાકર્મી સાથે વાત કરીને પોલિસના દાવા પર નિવેદન આપ્યુ છે.

અમે લોકો અંતિમ સંસ્કાર સમયે હાજર નહોતા

અમે લોકો અંતિમ સંસ્કાર સમયે હાજર નહોતા

એનડીટીવીના સમાચાર અનુસાર હાથરસ ગેંગરેપ પીડિતાના પિતાએ પોલિસના દાવાને ફગાવી દીધો છે. પોલિસનો દાવો છે કે તેમની પાસે એક વીડિયો છે જેમાં અંતિમ સંસ્કાર સમયે પીડિતાના પરિવાર તરફથી એક વૃદ્ધ સ્મશાન ઘાટમાં હાજર હતા. આ દાવા પર પીડિતાના પિતાએ કહ્યુ, 'વીડિયોમાં દેખાઈ રહેલ વૃદ્ધ સંબંધે કાકા થાય છે પરંતુ પીડિતાનો પરિવાર તો અમે લોકો છે. તેમને પોલિસે બોલાવીને માત્ર બતાવી દીધા, અમે લોકો અંતિમ સંસ્કાર સમયે હાજર નહોતા.'

રાતના સમયે દીકરીના અંતિમ સંસ્કાર કરવા માટે રાજી નહોતા

રાતના સમયે દીકરીના અંતિમ સંસ્કાર કરવા માટે રાજી નહોતા

પીડિતાના પિતાએ આગળ કહ્યુ, 'અંતિમ સંસ્કાર દરમિયાન અમારા પરિવારમાંથી ત્યાં કોઈ હાજર નહોતુ. છોકરીની મા પણ નહિ, હું પણ નહિ, તેઓ ત્યાંથી જ દીકરીના અંતિમ સંસ્કાર કરી ચાલ્યા ગયા.' પિતાએ કહ્યુ, અમે રાતના સમયે દીકરીના અંતિમ સંસ્કાર કરવા માટે રાજી નહોતા પરંતુ પોલિસવાળા માન્યા નહિ, અમે લોકો સવારના સમયે હિંદુ રીતરિવાજથી બધા સંબંધીઓની હાજરીમાં અંતિમ યાત્રા કાઢવા ઈચ્છતા હતા પરંતુ તેમણે અમારી એક ન ચાલવા દીધી.

સીએમ યોગીએ કરી એસઆઈટીની રચના

સીએમ યોગીએ કરી એસઆઈટીની રચના

તમને જણાવી દઈએ કે 19 વર્ષીય દલિત યુવતી સાથે હેવાનિયત અને બાદમાં પોલિસવાળાન અમાનવીયતાથી આખા દેશમાં આક્રોશ છે. વળી, આ કાંડ બાદ વિપક્ષના નિશાને આવેલી યોગી સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. આ ટીમ સાત દિવસમાં રિપોર્ટ સોંપશે. આ ટીમમાં દલિત અને મહિલા અધિકારી પણ શામેલ છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપ, ડીઆઈજી ચંદ્રપ્રકાશ અને સેનાનાયક પીએસી આગરા પૂનમ એસઆઈટીના સભ્ય હશે. સીએમ યોગીએ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લાવવાના નિર્દેશ પણ આપ્યા છે. ચારે આરોપીઓની ધરપકડ પહેલા જ થઈ ચૂકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X