For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાવુક થયા એચડી દેવગૌડા, સ્ટેજ પર જ રડવા લાગ્યા, ભાજપે ગણાવ્યું નાટક

એચડી દેવગૌડા સ્ટેજ પર જ રડવા લાગ્યા, ભાજપે ગણાવ્યું નાટક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે આખરે સીટની વહેંચણીને લઈને ડીલ ફાઈનલ થઈ ગઈ છે. સીટની વહેંચણી બાદ પૂર્વ પીએમ એચડી દેવગૌડા એ સમયે ભાવુક થઈ ગયા જ્યારે તેમણે પોતાના પૌત્ર પ્રાજવાલ રેવન્નાના નામનું એલાન કર્યું. દેવગૌડાએ પ્રાજવાલના નામ એલાન બાદ લોકો સાથે વાતચીત કરતા દેવગૌડા રડવા લાગ્યા, જે બાદ ત્યાં ઉભેલ પ્રાજવાલ રેવન્ના પણ ભાવુક થઈ ગયા અને તેઓ રડવા લાગ્યા. આ સમગ્ર ઘટનાક્રમ પર ભાજપે પ્રહાર કરતા આને લોકસભા પહેલાનો ડ્રામા ગણાવ્યો.

જેડીએસના ખાતામાં 8 સીટ

જેડીએસના ખાતામાં 8 સીટ

જણાવી દઈએ કે રેવન્નાને જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનમાં હાસન સંસદીય ક્ષેત્રથી લોકસભા સીટના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસે સાથે મળી ચૂંટણી લડવાનું એલાન કર્યું છે અને બંને દળ વચ્ચે સીટની વહેંચણી પર સહમતી બની ગઈ છે. અહીં કોંગ્રેસ 20 સીટ પર ચૂંટણી લડશે, જ્યારે જેડીએસના ખાતામાં 8 સીટ આવી છે. જેડીએસના ખાતામાં શિમોગા, તુમકુર, હાસન, માંડ્યા, બેંગ્લોર નોર્થ, ઉત્તર કન્નડ, ચિકમંગલૂર, વિજયપુરા આવી છે.

બંને દીકરાને મળી ટિકિટ

બંને દીકરાને મળી ટિકિટ

હાસન અને માંડ્યાની સીટને જેડીએસનો ગઢ માનવાાં આવે છે, આ કારણે જ પાર્ટી દેવગૌડાના બંને પૌત્ર પ્રાજવાલ અને નિખિલ કુમારસ્વામીને મેદાનમાં આતારી રહી છે. સીટની વહેંચણીના એલાન બાદ બુધવારે એચડી દેવગૌડાએ પ્રદેશમાં ચૂંટણી સભાની શરૂઆત કરી. જેવી રીતે જેડીએસે નિખિલ અને પ્રાજવાલને ટિકિટ આપવામાં આવી તે બાદ તેના પર આરોપ લાગી રહ્યો છે કે પાર્ટી પરિવારવાદને પ્રોત્સાહન આપી રહી છે.

સોશિયલ મીડિયા અને મીડિયા પર ભડક્યા દેવગૌડા

સોશિયલ મીડિયા અને મીડિયા પર ભડક્યા દેવગૌડા

દેવગૌડાએ કહ્યું કે અમારા પર કેટલા બધા આરોપો લાગ્યા, સવારથી મીડિયા દેવગૌડા, રેવન્ના, કુમારસ્વામી અને તેમના દીકરાને લઈને નિવેદન આપી રહ્યું છે. દેવગૌડાએ કહ્યું કે નિખિલને માંડ્યાથી મેદાનમાં ઉતારવાનો પાર્ટીએ ફેસલો લીધો છે. મેં તેની ઘોષણા નહોતી કરી. મને એ વાતનું ભારે દુઃખ થાય છે કે લોકો સોશિયલ મીડિયા પર ગો બેક નિખિલ કહી રહ્યા છે.

લોકો સમક્ષ વાત રાખીશ

લોકો સમક્ષ વાત રાખીશ

પૂર્વ પ્રધાનમંત્રીએ કહયું કે હું માંડ્યા જઈશ, તેમને જે કહેવું હોય તે કહેવા દો, જેમના માટે મેં 600 વર્ષ સુધી લડાઈ લડી, હું બધું જ તેમની સમક્ષ રાખીશ. જ્યારે વિપક્ષે જેડીએસ પર આરોપ લગાવ્યો છે કે પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને નજરઅંદાજ કર્યા છે અને ચૂંટણીમાં પરિવારવાદને મહત્વ આપ્યું છે. ભાજપે પણ જેડીએસના ફેસલા પર પ્રહાર કર્યો. જેવી રીતે દેવગૌડા મંચ પર રોવા લાગ્યા તેના પર ભાજપે કહ્યું કે રડવાની કળામાં આ લોકો પારંગત છે.

ચૂંટણી બાદ લોકો રડે છે

ચૂંટણી બાદ લોકો રડે છે

કર્ણાટક ભાજપે ટ્વીટ કર્યું કે જો રડવાની એક કળા હોય તો દેવગૌડા અને તેમનો પરિવાર આ કળામાં માહેર છે અને આ કળાથી તેઓ સદીઓથી લોકોને બેવકૂફ બનાવતા આવી રહ્યા છે. જયારે સચ્ચાઈ એ છે કે દરેક ચૂંટણી પહેલા દેવગૌડા અને તેમનો પરિવાર રડે છે. પરંતુ ચૂંટણી બાદ તે લોકો રડે છે જેમણે તેમને વોટ આપ્યો હોય.

આચાર સંહિતા દરમિયાન પોલીસે કારમાંથી 35 લાખ કેશ પકડીઆચાર સંહિતા દરમિયાન પોલીસે કારમાંથી 35 લાખ કેશ પકડી

English summary
HD Deve Gowda gets emotional cries in a election campaign BJP calls it drama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X