કોરોના વાયરસઃ કોઈ પણ પ્રકારની મદદ માટે આ નંબરો પર સંપર્ક કરો
કોરોના વાયરસના પ્રકોપને જોતા કોઈ પણ પ્રકારની મદદ માટે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ હેલ્પલાઈન નંબર શરૂ કર્યા છે.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ભારતના લગભગ બધા રાજ્યોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. આના વધતા સંક્રમણને રોકવા માટે સરકાર દરેક સંભવ કોશિશ કરી રહી છે. હાલમાં જ કોરોના વાયરસના પ્રકોપને જોતા કોઈ પણ પ્રકારની મદદ માટે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ હેલ્પલાઈન નંબર શરૂ કર્યા છે. 24 કલાક ચાલુ રહેલી આ સેવા પર તમે ગમે ત્યારે સંપર્ક કરી મદદ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મદદ માટે ઘણા નંબરોની શરૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં આ વાયરસના કારણે 24,089થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા પાંચ લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમાં સંક્રમિત કેસોની સંખ્યા 904 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 21 લોકોના મોત પણ થયા છે. કોરોના વાયરસને જોતા દેશમાં 21 દિવસોથી લૉકડાઉન છે. એવામાં લોકોની મદદ માટે સરકારે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે જેના પર કૉલ કરીને તમે કોઈ પણ પ્રકારની મદદ મેળવી શકો છો.
Helpline numbers started by govt in different states/UTs, in case anyone needs any help, in the wake of #Coronovirus outbreak. pic.twitter.com/oXtxyaDgPe
— ANI (@ANI) March 28, 2020
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણથી 46 વર્ષીય મહિલાના મૃત્યુ બાદ અમદાવાદમાં બીજુ, ગુજરાતમાં ચોથુ મોત