Mobile ban in temples: તમિલનાડુના બધા મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ, જાણો હાઈકોર્ટે કેમ આપ્યો આ આદેશ
મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે પોતાના એક આદેશમાં તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.
Mobile ban in temples: મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે પોતાના એક આદેશમાં તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકારને આ આદેશ સંબંધિત પીઆઈએલ પર સુનાવણી કરતી વખતે શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ પીઠે આ આદેશ સંભળાવ્યો. મદ્રાસ હાઈકોર્ટે આ ચુકાદો પૂજા સ્થળોની પવિત્રતા જાળવી રાખવા માટે આપ્યો છે.
જસ્ટિસ આર મહાદેવન અને જે સત્ય નારાયણ પ્રસાદની ડિવિઝન બેન્ચે નોંધ્યુ હતુ કે, 'ભક્તો માટે ઉપદ્રવ અટકાવવા' દેશભરના અન્ય મંદિરોમાં સમાન પ્રતિબંધો છે અને આ નિયમ સફળ છે. એમ. સીતારમણ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પીઆઈએલમાં સીતારમણે તમિલનાડુના તુતીકોરિન જિલ્લાના તિરુચેન્દુરમાં સુબ્રમણ્યમ સ્વામી મંદિરની અંદર મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે ભક્તો પોતાના ફોનથી મૂર્તિઓ અને પૂજાના ફોટા લઈ રહ્યા છે.
સુબ્રમણ્યમ સ્વામી મંદિર એ એક પ્રાચીન મંદિર છે અને ત્યાં દેવતાઓનો ફોટા રેકૉર્ડ કરવા કે શૂટ કરવા માટે કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ નિયમે મંદિરના પૂજા અને પ્રશાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આ નિયમ લાગુ કર્યા બાદ મંદિરના કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોબાઈલ ફોનનો ઉપયોગ મંદિર અને તેની કિંમતી વસ્તુઓની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે મહિલા શ્રદ્ધાળુઓની સંમતિ વિના તેમની તસવીરો લેવાની સંભવિત તકો છે જેનો દુરુપયોગ થશે.