કોરોના વાયરસથી બચવા હિંદુ મહાસભા કરશે ગૌમૂત્ર પાર્ટી
ભારતમાં કોરોના વાયરસ માટે એલર્ટ જારી છે. ત્યાં આ બિમારી માટે વિચિત્ર નિવેદનો સામે આવી રહ્યા છે.
જાનલેવા કોરોના વાયરસ 50થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તેણે 3000થી વધુ લોકોના અત્યાર સુધી જીવ લઈ લીધા છે. કોરોના વાયરસના ભારતમાં 9 કેસ સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. ભારતમાં આ બિમારી માટે એલર્ટ જારી છે. વળી, બીજી તરફ આ બિમારી માટે વિચિત્ર નિવેદનો સામે આવી રહ્યા છે.

કોરોના વાયરસથી બચાવ માટે કરશે ગૌમૂત્ર પાર્ટી
સૌથી વધુ ચોંકાવનારુ નિવેદન તો હિંદુ મહાસભા તરફથી આવ્યુ છે. જેમણે કોરોનાથી બચાવ માટે ટી પાર્ટી એટલે કે ચા પાર્ટીની જેમ ગૌમૂત્ર પાર્ટીનુ આયોજન કરવાનુ એલાન કર્યુ છે. મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિએ પોતાના ઔપચારિક નિવેદનમાં કહ્યુ કે કોરોનાથી બચાવ માટે હિંદુ મહાસભા ટી પાર્ટીની જેમ જલ્દી કરશે ગૌમૂત્ર પાર્ટી, તમારુ પણ સ્વાગત છે.

કોરોના વાયરસનો ઈલાજ ગૌમૂત્ર અને ગોબરથી કરી શકાય છેઃ સ્વામી ચક્રપાણિ
સ્વામી ચક્રપાણીના જણાવ્યા મુજબ કોરોના વાયરસનો ઈલાજ ગૌમૂત્ર અને ગોબરથી કરી શકાય છે. આ પહેલા પણ સ્વામી ચક્રપાણિ મહારાજે દાવો કર્યો હતો કે કોરોના વાયરસથી પીડિત દર્દી જો પોતાના શરીર પર ગોબરનો લેપ લગાવે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે તો તેનો જીવ બચી શકે છે.

સ્વામી ચક્રપાણિએ રાહુલ ગાંધી વિશે કરી હતી વિવાદિત ટિપ્પણી
તમને જણાવી દઈએ કે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ એ વખતે વિવાદોમાં આવ્યા હતા જ્યારે તેમણે કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી વિશે એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ. વાસ્તવમાં કોંગ્રેસ સેવાદળના પુસ્તકમાં નાથૂરામ ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધનો દાવો કરવામાં આવ્યો હતો, આના પર સ્વામી ચક્રપાણિએ કહ્યુ કે આ સાવરકરની વિરુદ્ધ હાસ્યાસ્પદ આરોપ છે,અમે પણ સાંભળ્યુ છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે અને તેમના મોટેભાગે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે સમલૈંગિક સંબંધ છે, જેના પર ઘણી બબાલ થઈ હતી.

વિઝા કે ઈ-વિઝા થયા રદ
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ માટે ભારત એલર્ટ પર છે. ભારતીય આરોગ્ય મંત્રાલય તરફથી જારી અપડેટ મુજબ ઈટલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવતા મુસાફરોને જે વિઝા કે ઈ-વિઝા જારી કરવામાં આવ્યા છે તેને રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય નાગરિકોને પણ આ દેશોમાં જવાની મનાઈ કરવામાં આવી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
