અનલૉક-2: આજથી ખુલ્યા દેશભરના ઐતિહાસિક સ્મારક, તાજમહેલ માટે હજુ જોવી પડશે રાહ
અનલૉક 2માં કેન્દ્ર સરકારે દેશભરની બધી ઐતિહાસિક સ્મારકોને ખોલવાનો આદેશ આપી દીધો છે.
અનલૉક 2માં કેન્દ્ર સરકારે દેશભરની બધી ઐતિહાસિક સ્મારકોને ખોલવાનો આદેશ આપી દીધો છે. 100 દિવસોથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ હવે 6 જુલાઈથી દેશભરની બધી ઐતિહાસક સ્મારકો અને પર્યટન સ્થળો ખુલી જશે પરંતુ અહીં ફરવા આવવા માટે ઑનલાઈન ટિકિટ લેવી પડશે. આ બધી ઐતિહાસિક સ્મારકો પર ટિકિટ કાઉન્ટર બંધ રહેશે. માત્ર ઑનલાઈન ટિકિટ દ્વારા જ લોકોને એન્ટ્રી મળશે. વળી, લોકોને ગૃહ મંત્રાલય દ્વારા જારી ગાઈડલાઈન પણ માનવી પડશે.

દેશભરમાં આવા સ્મારકોની સંખ્યા 3000થી વધુ
સરકાર દ્વારા જારી કરવામાં આવી ગાઈડલાન્સ મુજબ 6 જુલાઈથી દેશભરના એ બધા સ્મારકોને ખોલી દેવામાં આવશે, જે ભારતીય પુરાત્વ સર્વેક્ષણ હેઠળ આવે છે. દેશભરમાં આવા સ્મારકોની સંખ્યા 3000થી વધુ સ્મારક છે. આમાં ખજૂરાહો મંદિર સાંચિ સ્તૂપ, લાલ કિલ્લો અને કૂતુબ મીનાર વધુ શામેલ છે. આ ઐતિહાસિક સ્થળો પર આજથી પર્યટકોની એન્ટ્રી ફરીથી શરૂ થઈ જશે પરંતુ હાલમાં લોકોને તાજમહેલના દીદાર માટે રાહ જોવી પડશે.
|
આગ્રા તાજમહેલને આજથી ખોલવામાં નહિ આવે
દુનિયાના સાત અજૂબામાં શામેલ આગ્રા તાજમહેલને આજથી ખોલવામાં નહિ આવે. આગ્રામાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસો વચ્ચે આગ્રા જિલ્લા પ્રશાસને આ નિર્ણય લીધો છે. તાજમહેલ સાથે સાથે ફતેહપુર સીકરી અને આગ્રા કિલ્લા ત્રણેને ખોલવાનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. વાસ્તવમાં ત્રણે બફર ઝોનની અંદર છે. એવામાં આગ્રાના જિલ્લા અધિકારી પ્રભુ નારાયણ સિંહે કહ્યુ કે સંક્રમણ ફેલાવાના ખતરાનો જોતા હાલમાં આ ઐતિહાસિક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ગાઈડલાન્સનુ પાલન જરૂરી
ઐતિહાસિક સ્થળો પર જતા પહેલા અમુક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. આ ઐતિહાસિક સ્થળો પર આવતા લોકોએ અહીં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરવુ પડશે. માસ્ક વિના લોકોને પ્રવેશ નહિ મળે. પોતાની સાથે સેનિટાઈઝર રાખવુ પડશે. ઐતિહાસિક સ્મારક પરિસરમાં પ્રવેશથી પહેલા પર્યટકોનુ તાપમાન માપવામાં આવશે. માત્ર ઑનલાઈન ટિકિટની જ વ્યવસ્થા ઉપલબ્ધ હશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
