અનલૉક-2: આજથી ખુલ્યા દેશભરના ઐતિહાસિક સ્મારક, તાજમહેલ માટે હજુ જોવી પડશે રાહ
અનલૉક 2માં કેન્દ્ર સરકારે દેશભરની બધી ઐતિહાસિક સ્મારકોને ખોલવાનો આદેશ આપી દીધો છે.
અનલૉક 2માં કેન્દ્ર સરકારે દેશભરની બધી ઐતિહાસિક સ્મારકોને ખોલવાનો આદેશ આપી દીધો છે. 100 દિવસોથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ હવે 6 જુલાઈથી દેશભરની બધી ઐતિહાસક સ્મારકો અને પર્યટન સ્થળો ખુલી જશે પરંતુ અહીં ફરવા આવવા માટે ઑનલાઈન ટિકિટ લેવી પડશે. આ બધી ઐતિહાસિક સ્મારકો પર ટિકિટ કાઉન્ટર બંધ રહેશે. માત્ર ઑનલાઈન ટિકિટ દ્વારા જ લોકોને એન્ટ્રી મળશે. વળી, લોકોને ગૃહ મંત્રાલય દ્વારા જારી ગાઈડલાઈન પણ માનવી પડશે.

દેશભરમાં આવા સ્મારકોની સંખ્યા 3000થી વધુ
સરકાર દ્વારા જારી કરવામાં આવી ગાઈડલાન્સ મુજબ 6 જુલાઈથી દેશભરના એ બધા સ્મારકોને ખોલી દેવામાં આવશે, જે ભારતીય પુરાત્વ સર્વેક્ષણ હેઠળ આવે છે. દેશભરમાં આવા સ્મારકોની સંખ્યા 3000થી વધુ સ્મારક છે. આમાં ખજૂરાહો મંદિર સાંચિ સ્તૂપ, લાલ કિલ્લો અને કૂતુબ મીનાર વધુ શામેલ છે. આ ઐતિહાસિક સ્થળો પર આજથી પર્યટકોની એન્ટ્રી ફરીથી શરૂ થઈ જશે પરંતુ હાલમાં લોકોને તાજમહેલના દીદાર માટે રાહ જોવી પડશે.
|
આગ્રા તાજમહેલને આજથી ખોલવામાં નહિ આવે
દુનિયાના સાત અજૂબામાં શામેલ આગ્રા તાજમહેલને આજથી ખોલવામાં નહિ આવે. આગ્રામાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસો વચ્ચે આગ્રા જિલ્લા પ્રશાસને આ નિર્ણય લીધો છે. તાજમહેલ સાથે સાથે ફતેહપુર સીકરી અને આગ્રા કિલ્લા ત્રણેને ખોલવાનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. વાસ્તવમાં ત્રણે બફર ઝોનની અંદર છે. એવામાં આગ્રાના જિલ્લા અધિકારી પ્રભુ નારાયણ સિંહે કહ્યુ કે સંક્રમણ ફેલાવાના ખતરાનો જોતા હાલમાં આ ઐતિહાસિક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ગાઈડલાન્સનુ પાલન જરૂરી
ઐતિહાસિક સ્થળો પર જતા પહેલા અમુક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. આ ઐતિહાસિક સ્થળો પર આવતા લોકોએ અહીં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરવુ પડશે. માસ્ક વિના લોકોને પ્રવેશ નહિ મળે. પોતાની સાથે સેનિટાઈઝર રાખવુ પડશે. ઐતિહાસિક સ્મારક પરિસરમાં પ્રવેશથી પહેલા પર્યટકોનુ તાપમાન માપવામાં આવશે. માત્ર ઑનલાઈન ટિકિટની જ વ્યવસ્થા ઉપલબ્ધ હશે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
