બીજા શહેરોમાં નોકરી કરતા લોકોને ઘરે જવાની મંજૂરી નહિઃ MHA

બીજા શહેરોમાં નોકરી કરતા લોકોને ઘરે જવાની મંજૂરી નહિઃ MHA

નવી દિલ્હીઃ કોરોના વોરિયર્સના વધતા મામલા વચ્ચે કેન્દ્ર સરકારે લૉકડાઉનને 17 મે સુધી વધારી દીધું છે. લૉકડાઉનનો ત્રીજો તબક્કો સોમવારથી એટલે કે 4મેથી શરૂ થઈ રહ્યો છે, એવામાં ગૃહ મંત્રાલયે એક ગાઈડલાઈન જાહેર કરતા કહ્યું કે લૉકડાઉન વધારવાનો આ આદેશ એવા વ્યક્તિઓ પર પણ લાગૂ થશે જે કામના સિલસિલામાં પોતાના મૂળ સ્થાનને બદલે બીજા સ્થાને રહેતા હોય છે. આ ઉપરાંત પોતાના મૂળ નિવાસ સ્થાન સુધી યાત્રા કરવા માંગતા લોકોને પણ આ નિયમ લાગૂ પડશે.

lockdown

જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર પહોંચી ચૂકી છે, જ્યારે 1300થી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. આ દરમિયાન લૉકડાઉન વધારવાથી અન્ય રાજ્યોમાં રહેતા નોકરીયાત લોકોની ચિંતા પણ વધવા લાગી છે. એવામાં કેન્દ્ર સરકારે એવા લોકોને સ્પષ્ટ કહ્યું છે કે વિવિધ સ્થળો પર કામના સિલસિલામાં ગયેલા લોકો 17 મે સુધી પોતાના મૂળ નિવાસ સ્થાને યાત્રા નહિ કરી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X