Home Quarantine: ઘરમાં રહેતા કોરોના વાયરસના દર્દી કેવી રીતે કરશે પોતાની દેખરેખ?
ચાલો, અમે તમને જણાવીએ કે ઘરમાં રહેતા કોરોના વાયરસના દર્દીઓની કેવી રીતે સારસંભાળ લેવી.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. હોસ્પિટલોમાં બેડની કમીના કારણે કોરોનાના લાખો દર્દીઓને ઘરે મેડિકલ સપોર્ટ આપીને હોમ ક્વૉરંટાઈન કરવામાં આવી રહ્યા છે. ભારતમાં હાલમાં 34 લાખ 13 હજાર 642 કોરોનાના સક્રિય દર્દી છે. આમાંથી ઘણા લાખ દર્દીઓને ઘરે જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એવામાં પરિવારજનો અને કોરોનાના હોમ ક્વૉરંટાઈનમાં રહેતા દર્દીઓની સૌથી મોટી ચિંતા એ છે કે તેમની યોગ્ય દેખરેખ કેવી રીતે કરી શકાય. તો ચાલો, અમે તમને જણાવીએ કે ઘરમાં રહેતા કોરોના વાયરસના દર્દીઓની કેવી રીતે સારસંભાળ લેવી.
ઘરમાં રહેતા કોરોના દર્દીની કેવી રીતે સારસંભાળ લેશો
સૌથી
પહેલા
જો
તમને
કોવિડ-19ના
લક્ષણ
હોય
તો
કોઈ
ડૉક્ટરની
સલાહ
લઈને
તરત
જ
તપાસ
કરાવો.
કોવિડ-19ના
સામાન્ય
લક્ષણ
છે
તાવ,
ગળામાં
ખારાશ,
ખાંસી,
શ્વાસ
લેવામાં
મુશ્કેલી,
માથામાં
દુઃખાવો,
ગંધ
કે
સ્વાદ
ખબર
ન
પડવી.
દિવસમાં
3થી
4
વાર
ઑક્સિજનનુ
સ્તર
ચકાશો.
આના
માટે
તમારે
પલ્સ
ઑક્સિમીટરનો
ઉપયોગ
કરી
શકો
છો.
ઑક્સિજનનુ
સ્તર
95થી
90
સુધી
હોવુ
જોઈએ.
જો
કે
95થી
92
યોગ્ય
હોય
છે.
કેવી રીતે કરશો અસલી અને નકલી રેમડેસિવિર ઈંજેક્શનની ઓળખ?
- ડબલ માસ્ક પહેરો અને પોતાના પરિવારના બધા લોકોને માસ્ક પહેરવાનુ કહો.
- હવાની અવરજવર માટે બારીઓ ખુલ્લી રાખો.
- ઘરમાં જ રહો. પરિવારના લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનુ કહો. જો એક રૂમમાં એકલા રહો તો વધુ સારુ.
- વધુને વધુ પાણી અને પ્રવાહી ડાયેટ લો. પૌષ્ટિક આહાર લો.
- તાવ હોય તો તાવની દવા લો જેમાં તમારે પેરાસિટામોલ કે પછી એસિટામિનોફેન લેવાની છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો