કેવી રીતે લાગુ થશે રાહુલની NYAY સ્કીમ, ચિદમ્બરમે સમજાવ્યું
કેવી રીતે લાગુ થશે રાહુલની NYAY સ્કીમ, ચિદમ્બરમે સમજાવ્યું
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસના સૌથી મોટા માસ્ટરસ્ટ્રોક 'NYAY' સ્કીમ લાગુ કરવાની રીત પર બુધવારે પૂર્વ નાણામંત્ર પી. ચિદમ્બરમે પ્રેસ કોન્ફ્રેન્સ કરી. પૂર્ણ નાણામંત્રીએ સમજાવ્યું કે આ યોજના લાગુ કરવામાં કોઈ મુશ્કેલી નહિ આવે, કેમ કે તેને લઈ અમે મંથન કર્યું છે. તેમણે જણાવ્યં કે જો આ યોજના લાગુ કરવામાં આવે તો 5 કરોડ પરિવારોને લાભ મળશે.

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે અમે લોકો દેશના 20 ટકા ગરીબ જનતાને આ યોજનાનો લાભ પહોંચાડશું. જે અંતર્ગત 25 કરોડ લોકોને ફાયદો થશે. તેમણે કહ્યું કે આ યોજનાને લઈ અમે દરેક સ્તરે મંથન કર્યું છે, જે અંતર્ગત દર મહિને એક પરિવારને પ્રતિ મહિને 6000 એટલે કે વાર્ષિક 72000 રૂપિયા આપવામાં આવશે. ચિદમ્બરમે કહ્યું કે આને લઈ અમે કેટલાય અર્થશાસ્ત્રિઓ સાથે વાતચીત કરી છે અને સૌકોઈએ આ યોજના પર સહમતિ દર્શાવી છે.
P Chidambaram on min income guarantee scheme:Size of India's economy today is Rs 200 Lakh Cr&in nominal terms it'll increase by abt 12% per yr. In about 6 yrs it'll double. So in 5 yr b/w 2019-2024 size of India's GDP would've grown from abt Rs 200 Lakh Cr to Rs 400 Lakh Cr.(1/2) pic.twitter.com/HKpYiazTH0
— ANI (@ANI) March 27, 2019
વધુમાં તેમણે કહ્યું કે આવા પ્રકારની યોજના 30-40 વર્ષ પહેલા લાગુ થઈ શકે તેમ નહોતી. કોંગ્રેસની સરકારે 1991માં જે લિબ્રેલાઈઝેશન કર્યું તેના કારણે આજે આ સ્થિતિ થઈ છે કે આવા પ્રકારની સ્કિમ લાગુ કરી શકાય. પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે ભારતનો જીડીપી સતત વધી રહ્યો છે અને આગલા પાંચ વર્ષમાં તે બેગણો થવાની શક્યતા છે. એવામાં આવા પ્રકારની સ્કીમ પૂરી કરવી શક્ય છે.
P Chidambaram on min income guarantee scheme:Size of India's economy today is Rs 200 Lakh Cr&in nominal terms it'll increase by abt 12% per yr. In about 6 yrs it'll double. So in 5 yr b/w 2019-2024 size of India's GDP would've grown from abt Rs 200 Lakh Cr to Rs 400 Lakh Cr.(1/2) pic.twitter.com/HKpYiazTH0
— ANI (@ANI) March 27, 2019
પી. ચિદમ્બરમે જણાવ્યું કે 2019થી 2024 સુધી ભારતનો જીડીપી 200થી 400 લાખ કરોડ સુધી પહોંચી જશે. NYAY સ્કીમ લાગુ કરવાથી ભારતના જીડીપીનો દોઢ ટકા ખર્ચ આવશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી આ યોજનાનું એલાન કર્યું હતું. રાહુલ મુજબ આ સ્કીમ હજુ સુધીની સૌથી મોટી યોજના હશે અને ભારતમાં ગરીબીને ખતમ કરવામાં મદદરૂપ થશે. જો કે, ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની આ સ્કીમને જૂઠી ગણાવી. ભાજપ તરફથી નાણામંત્રી અરુણ જેટલી મેદાનમાં ઉતર્યા હતા, જેમણે કોંગ્રેસના ઈતિહાસને જણાવતા આ સ્કીમને જૂઠી ગણાવી.
આ પણ વાંચો- નીતિ આયોગના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ECએ મોકલી નોટિસ
-
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ











Click it and Unblock the Notifications
