રજનીકાંતને જયારે પૂછ્યું- શુ ભાજપ ખતરનાક પાર્ટી છે?
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે એનડીએ સરકારના નોટબંધી નિર્ણયની આલોચના કરી છે. નોટબંધી સવાલ પર રજનીકાંતે કહ્યું કે નોટબંધી લાગુ કરવું ખોટો નિર્ણય હતો અને તેના પર વધારે ચર્ચા થવી જોઈતી હતી.
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે એનડીએ સરકારના નોટબંધી નિર્ણયની આલોચના કરી છે. નોટબંધી સવાલ પર રજનીકાંતે કહ્યું કે નોટબંધી લાગુ કરવું ખોટો નિર્ણય હતો અને તેના પર વધારે ચર્ચા થવી જોઈતી હતી. ગયા અઠવાડિયે 8 નવેમ્બરે નોટબંધીને બે વર્ષ પુરા થઇ ગયા. પરંતુ તેની સાથે સાથે રજનીકાંતે કહ્યું કે ભાજપ સામે બધી જ વિપક્ષી પાર્ટી એક સાથે આવે તે પણ યોગ્ય નથી.

ભાજપ એક ખતરનાક પાર્ટી હોય શકે છે?
રજનીકાંતને જયારે પૂછવામાં આવ્યું કે, શુ તમને લાગે છે કે ભાજપ એક ખતરનાક પાર્ટી હોય શકે છે? ત્યારે તમિલ સુપરસ્ટારે કહ્યું કે, જો તેમને (વિપક્ષને) લાગે છે તો આ સાચું હોય શકે છે. પરંતુ રજનીકાંતના નિવેદન થી આ બાબતની સ્પષ્ટ માહિતી નથી મળી રહી કે તેમને ખતરનાક શબ્દનું સમર્થન ભાજપ માટે કર્યું કે પછી વિપક્ષ માટે. આ પહેલા રજનીકાંતે જણાવ્યું હતું કે ભાજપ સામે બધા જ વિપક્ષ એક સાથે આવે તે પણ યોગ્ય નથી.

વિપક્ષ એક સાથે આવીને સફળ થઇ શકે છે?
જયારે રજનીકાંતને વધારે એક સીધો સવાલ કરવામાં આવ્યો કે, શુ ભાજપ સામે વિપક્ષ એક સાથે આવીને સફળ થઇ શકે છે? તેના જવાબમાં રજનીકાંતે કહ્યું કે જો તેમને લાગે છે તો તેઓ જીતી શકે છે.

રાજનૈતિક પાર્ટીની ઘોષણા
આપને જણાવી દઈએ કે જયલલિતાની મૌત પછી તમિલ સુપરસ્ટારે રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું હતું. મળતી માહિતી અનુસાર આવતા મહિનાની 12 ડિસેમ્બરે પોતાના જન્મદિવસના અવસરે રજનીકાંત પોતાની રાજનૈતિક પાર્ટીની ઘોષણા કરી શકે છે. તેઓ ભાજપમાં જશે કે નહીં તેના માટે પણ સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શકી.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
