હૈદરાબાદ બ્લાસ્ટ: NIAને સોંપાયો IMના બે સભ્યોનો કબ્જો
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ન્યાયાધીશ આઇએસ મેહતાની ખંડપીઠે સુનવણી દરમિયાન સૈયદ મકબૂલ અને ઇમરાન ખાનનો કબ્જો મેળવવાની માંગ કરતી રાષ્ટ્રીય તપાસ સમિતિની અરજીને માન્ય રાખી આ નિર્ણય આપ્યો હતો.
આઇએમના એક અન્ય સભ્ય ઓબૈદ ઉર રહેમાન સાથે રૂબરૂ કરાવવા માટે આ બંનેના કબ્જાની માંગ કરાઇ હતી. તેમણે જણાવ્યું કે આ મામલાના સિલસિલામાં રહેમાન 20 માર્ચ સુધી એનઆઇએની કબ્જામાં રહેશે. કોર્ટે ગઇકાલે મકબૂલ અને ઇમરાન સામે સમન્સ ફટકાર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે એનઆઇએએ કોર્ટને જણાવ્યું કે તે આ બંને ઓબૈદ ઉર રહેમાનને રૂબરૂ કરાવવા માગે છે કારણકે આ બંનેનું અલગ અલગ લેવામાં આવેલા નિવેદનમાં વિરોધાભાષ જોવા મળ્યો હતો. આ પહેલા આ બંનેને કોર્ટે પાંચ દિવસ માટે એનઆઇએના કબ્જામાં સોંપાયા હતા, જે દરમિયાન આ લોકોને વિસ્ફોટોના મામલે હૈદરાબાદ લઇ જવાયા હતા. જ્યારે રહેમાનને 13 માર્ચના રોજ એનઆઇએની હિરાસતમાં સોપવામાં આવ્યો હતો.