કસાબ-અફજલની ફાંસીની પ્રતિક્રિયા છે હૈદરાબાદ વિસ્ફોટ: શિંદે

શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખી અમે આખા દેશમાં એટર્લ જારી કર્યું હતું. અમારું માનવું હતું કે જ્યારે અમે આતંકવાદીઓને ફાંસી આપી છે તો તેની કોઇને કોઇ પ્રતિક્રિયા તો આવશે જ.' જોકે તેમણે એ વાતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિસ્ફોટ બાદ થયેલી ફોરેન્સિક તપાસના રિપોર્ટ આવ્યા બાદ ટૂંક સમયમાં આતંકીઓને ઝડપી લેવામાં આવશે.
રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કેન્દ્રની જરૂરિયાત પર ભાર આપતા શિંદેએ જણાવ્યું કે તેમને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે આ મુદ્દે મદદ મળવાની પૂરેપૂરી આશા છે. મમતા પણ આ સંસ્થાના ગઠન માટે વિરોધ કરી રહેલા નેતાની હરોળમાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એનસીટીસીના ગઠનનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા રાજ્યોના અધિકારો પર તરાપ ગણાવી તેનો વિરોધ નોંધાવ્યો ત્યારથી આ પ્રસ્તાવ અધરમાં લટકે છે.












Click it and Unblock the Notifications
