Hyderabad election: ટીવી પર ભાગ્યનગર વિ હૈદરાબાદ પર નેતાઓ આવ્યા સામસામે
હૈદરાબાદ ચૂંટણી પરિણામોમાં હાલમાં ભાજપને મોટો ફાયદો દેખાતા ટીવી પર ભાગ્યનગર વિરુદ્ધ હૈદરાબાદની ચર્ચામાં નેતાઓ સામસામે આવ્યા.
નવી દિલ્લીઃ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ પરિણામોના રૂઝાન (GHMC Election 2020 )સાથે જ ભાગ્યનગર અને હૈદરાબાદ બંને ટ્રેન્ડ કરવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે કહ્યુ હતુ કે જો તે નિગમમાં સત્તામાં આવશે તો શહેરનુ નામ ભાગ્યનગર કરી દેવામાં આવશે. જો કે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આનો વિરોધ કર્યો હતો. પરિણામોમાં હાલમાં ભાજપને મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. ગઈ ચૂંટણીમાં ભાજપને માત્ર 4 જ સીટો મળી હતી.

નામ બદલવાની જરૂર શું છે?
એક ચેનલ પર ચર્ચામાં શામેલ મૌલાના સઈદ અલ કાદરીએ ભાજપના હૈદરાબાદનુ નામ બદલવાના નિયમને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ. તેમણે કહ્યુ કે, 'આ મુંગેરીલાલના હસીન સપના છે. હૈદરાબાદનુ નામ તો હૈદરાબાદ જ રહેશે. નામ બદલવાની જરૂર શું છે. આનુ પહેલુ નામ જ હૈદરાબાદ હતુ.' તેમણે કહ્યુ કે, 'અહીં પહાડી વિસ્તાર હતો. કુલી કુતુબ શાહે આ શહેરને વસાવ્યુ હતુ અને તેમણે ચાર મીનાર બનાવ્યા હતા. હૈદરાબાદથી પહેલા ગોલકુંડા રાજાશાહી હતી.

નિઝામ સાહેબ અહીં શું કરવા આવ્યા હતા?
ચર્ચા દરમિયાન ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ કે મને આશા છે કે હૈદરાબાદનો ભાગ્યોદય થશે. તેમણે કહ્યુ કે હજુ શરૂઆતના રૂઝાન આવી રહ્યા છે અને તેમને આશા છે કે હૈદરાબાદના ભાગ્યોદયનો માર્ગ મોકળો થશે. તેમણે કહ્યુ, 'અમે કોઈનુ નામ પરિવર્તન કરવાની નહિ પરંતુ પરાવર્તન કરવાની વાત કરીએ છીએ. જ્યાં સુધી હૈદરાબાદથી પહેલા અહીં કોઈ રાજ્યના હોવા કે નહિ હોવાની વાત છે તો રાજા કૃષ્ણદેવ રાયનુ રાજ્ય તેલંગાનાથી લઈને કર્ણાટકના હિસ્સા સુધી ફેલાયેલુ હતુ. પોર્ટુગલના ઈતિહાસકારોએ લખ્યુ છે કે રાજા કૃષ્ણદેવ રાજની રાજધાની લંડનથી પણ મોટી હતી. નિઝામ સાહેબ અહીં શું કરવા આવ્યા હતા. જો અહીં કંઈ નહોતુ તો ભારતમાં વિદેશી કેમ આવ્યા હતા?'

હૈદરાબાદનો ઈતિહાસ
તેલંગeનાના પર્યટન વિભાગની અધિકૃત વેબસાઈટમાં ગોલકુંડા કિલ્લા વિશે માહિતી છે. 1512માં કુલી કુતુબ શાહે બહમની સામ્રાજ્ય પાસેથી સત્તા છીનવી અને ગોલકુંડાની સ્થાપના કરી હતી. ITI હૈદરાબાદની વેબસાઈટ પર શહેરથી જોડાયેલા ડોક્યુમેન્ટ છે જે મુજબ 1591માં એક શહેર તરીકે હૈદરાબાદ બન્યુ. જો કે આ શહેરનુ જૂનુ નામ ગોલકુંડા હતુ. જો કે કોઈ પણ ઈતિહાસકાર કે દસ્તાવેજ આ વાતની પુષ્ટિ નથી કરતા કે આ શહેરનુ નામ ક્યારેય ભાગ્યનગર હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં પૂજા કરીને હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો હતો. પાર્ટીના પ્રવકતા સંબિતા પાત્રાએ ભાગ્યલક્ષ્મી માતાનો ફોટો શેર કર્યો.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
