વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર, કહ્યું- હુ ચીની એમ્બેસેડરને સમાચાર નથી પુછતો
વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું. તેમણે ભારતીય જમીન પર ચીની સૈનિકોના કબજા પર ટિપ્પણી કરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકર રાહુલ ગાંધી પર આક્રમક છે. ચીની સૈનિકો દ્વારા ભારતીય જમીન પર કબજો કરવા સંબંધિત એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે, જો આપણે કોઈ જમીનની વાત કરીએ તો 1962માં ચીને ભારતની જમીન પર કબજો જમાવ્યો હતો.
રાહુલ ગાંધી, કોંગ્રેસ અને તમામ વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, "તેઓ (વિપક્ષ) તમને કહેતા નથી, તેઓ બતાવશે કે ગઈકાલે એક દિવસ પહેલા ચીની સૈનિકોએ ભારતીય જમીન પર કબજો કર્યો હતો."
अगर किसी ज़मीन की बात करते हैं तो ये ज़मीन 1962 में चीन ने कब्ज़ा किया था, वे(विपक्ष) आपको बताते नहीं हैं, वे ऐसे दिखाएंगे ये कल परसो हुआ है...अगर मेरी सोच में कमी है तो मैं अपनी फौज़ या इंटेलिजेंस से बात करूंगा। मैं चीनी एंबेसडर को बुलाकर अपनी खबर के लिए नहीं पूछता: विदेश मंत्री pic.twitter.com/yUNOOEQ89D
— ANI_HindiNews (@AHindinews) January 28, 2023
વિદેશ મંત્રીએ રાહુલ ગાંધી અને ચીનના રાજદૂત વચ્ચેના કથિત સંપર્ક અંગે પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, જો મારામાં વિચારવાની કમી હશે તો હું મારી સેના કે ગુપ્તચર સાથે વાત કરીશ. હું ચીનના રાજદૂતને ફોન કરીને મારા સમાચાર પૂછતો નથી.