મને ફરી એકવાર ગેરકાયદે નરકેદ કરવામાં આવી: મહેબુબા મુફ્તી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તેમની અટકાયત ગેરકાયદેસર ગણાવી છે. તેમણે કહ્યું કે મને ફરી એકવાર ગેરકાયદેસર કસ્ટડીમાં લેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર મને મારા પક્ષના કાર્યકરોને મળવા દેતું નથી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તેમની અટકાયત ગેરકાયદેસર ગણાવી છે. તેમણે કહ્યું કે મને ફરી એકવાર ગેરકાયદેસર કસ્ટડીમાં લેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર મને મારા પક્ષના કાર્યકરોને મળવા દેતું નથી. વહીદ ઉર રહેમાનનો પરિવાર પુલવામામાં છે. બનાવટી આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. મારી પુત્રીને પણ નજરકેદ કરવામાં આવી છે.
મહેબૂબા મુફ્તીએ ટવીટ કરીને લખ્યું છે કે ભાજપના મંત્રી અને તેમના કઠપૂતળીઓને ક્યાંય પણ જવાની છૂટ છે, પરંતુ આ લોકોને ફક્ત મારાથી સલામતીની સમસ્યા છે. બીજી તરફ, મહેબૂબા મુફ્તીની પુત્રીએ ફોન પર મીડિયાને માહિતી આપી હતી કે તે અને તેની માતા નજરકેદ છે. બંનેને ઘરની બહાર જવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે મહેબૂબા મુફ્તી આજે પુલવામાની મુલાકાત લેવા જઇ રહી હતી પરંતુ તેમને નજરકેદ કરવામાં આવી છે જેના કારણે તે પુલવામા જઈ શકશે નહીં.
આ પણ વાંચો: રાજકોટ આગઃ CM રૂપાણીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત