મોદીને વોટ ન આપ્યો તો, ગુજરાતના મુસલમાનોને એસિડથી સળગાવાશે: આઝમ ખાન
નવી દિલ્હી, 3 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુધ્ધ ઉત્તર પ્રદેશના મંત્રી અને સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાને વિવાદિત નિવેદન આપતા રાજકારણ ક્ષેત્રે ખળભળાટ મચી ગઇ છે.
આઝમ ખાને મોદી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં મુસ્લિમો ડરીને મોદીને વોટ આપે છે. તેમણે જણાવ્યું કે આ ભય મુસલમાનોમાં એટલા માટે છે કારણ કે તેમને ડર છે કે જો મોદીને વોટ ના આપ્યો તો એસિડથી સળગાવી દેવામાં આવીશું.
આઝમ ખાને મોદી વિરુધ્ધ પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતમાં મોદીએ રમખાણ કરાવ્યા. તેમણે જે ગુજરાતમાં કર્યું તે હવે આખા દેશમાં કરાવવા માંગે છે. આઝમ ખાનના આ નિવેદનની ભાજપે નિંદા કરી છે.

જોકે સલમાન ખુર્શીદના આ નિવેદનથી પાર્ટીના નેતાઓએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા. અહીં સુધી પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની આ ટિપ્પણી પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
