કબર માટે જમીન જોઈઅ તો વંદેમાતરમ કહેવુ પડશે, બોલ્યા ગિરિરાજ
ભાજપના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહે ફરીથી એકવરા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે જે ઘણીવાર પોતાના હિંદુત્વવાદી અને સાંપ્રદાયિક નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.
ભાજપના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહે ફરીથી એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે જે ઘણીવાર પોતાના હિંદુત્વવાદી અને સાંપ્રદાયિક નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેમણે કોઈને પાકિસ્તાન મોકલવાની નથી કહી.

એવુ શું વિવાદાસ્પદ કહ્યુ છે ગિરિરાજ સિંહે?
બેગુસરાયની રાજકીય સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં બેગુસરાયથી એનડીએના ઉમેદવાર ગિરિરાજ સિંહે મુસ્લિમ સમાજ તરફ ઈશારો કરતા કહ્યુ છે કે જો કબર માટે ત્રણ હાથ જમીન જોઈએ તો વંદેમાતરમનું ગીત અને ભારત માતાકી જય કહેવુ પડશે અન્યથા દેશ ક્યારેય માફ નહિ કરે. ગિરિરાજ સિંહે રાષ્ટ્રીય જનતા દળના દરભંગાથી ઉમેદવાર અબ્દુલ બારી સિદ્દિકીના એક તથાકથિત નિવેદનની ચર્ચા કરતા કહ્યુ કે રાજદના ઉમેદવાર કહે છે કે હું વંદેમાતરમ નહિ બોલુ. પરંતુ હું તેમને કહેવા ઈચ્છુ છુ કે જે વંદે માતરમ ન બોલી શકે, જે ભારતની માતૃભૂમિને નમન ન કરી શકે તે વાત યાદ રાખે કે ભારતની ભૂમિ તેને ક્યારેય માફ નહિ કરે.

શું ગિરિરાજ ગઠબંધનના મંચખી પણ હંમેશા આક્રમક રહે છે?
ગિરિરાજ આ વખતની લોકસભા ચૂંટણીમાં જ્યારે નીતિશ કુમાર સાથે મંચ પર હોય છે ત્યારે તે પોતાની સાંપ્રદાયિક વાતોની જગ્યાએ સબકા સાથ સબકા વિકાસ અને સાંપ્રદાયિક સદભાવ જાળવવાની વાતો કરે છે. પરંતુ એનાથી ઉલટુ જ્યારે તે પોતાના મંચ પર અને પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામે બોલે છે તો મુસ્લિમ સમાજના લોકો તેમના ખાસ નિશાના પર હોય છે. આ કારણથી બેગુસરાયથી સીપીઆઈના બહુચર્ચિત ઉમેદવાર કન્હૈયા કુમાર તેમને પોતાની ચૂંટણી સભાઓમાં ‘વિઝા મંત્રી' કોટ કરતા રહે છે.

ગિરિરાજના આ બોલવા પાછળનું કારણ ક્યાંક આ તો નથી?
બેગુસરાયમાં આ વખતે ત્રિકોણીય મુકાબલો થવાના અણસાર છે. જાતિગત ધ્રુવોમાં વહેંચાયેલ મતને પોતપોતાના પક્ષમાં કરવામાં દરેક ઉમેદવારને ખાસ્સી મહેનત કરવી પડી રહી છે. ભાજપ પર જેમ પહેલેથી આક્ષેપ થઈ રહ્યો છે કે તે સામાન્ય ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરે છે, તો ક્યાંક ગિરિરાજ પણ અહીં આ તો નથી કરવા ઈચ્છી રહ્યા જેથી સવર્ણ વસ્તી વધુ ધરાવતા વિસ્તારમાં મત એક જગ્યાએ સંગઠિત થઈને તેમને મળી શકે. એટલા માટે તેમણે સમજી વિચારીને વંદે માતરમ, ભારત માતા કી જય, કબર-પાકિસ્તાન, પાકિસ્તાન જેવા મુદ્દાઓ છેડી દીધા છે. તેમને એ વાતનો અંદાજ થઈ ગયો છે કે તેમની આ સમજી વિચારેલી રણનીતિનો હિસ્સો છે કે જ્યાં સુધી સાંપ્રદાયિક ધ્રુવીકરણ નહિ થાય ત્યાં સુધી તેમની જીતનો રસ્તો સરળ નહિ બને. એટલા માટે તેમણે જાણીજોઈને વંદે માતરમ, ભારત માતા કી જય અને કબ્રસ્તાન અને કબર માટે જમીનનો મુદ્દો છેડ્યો છે.
अब सुनिए केंद्रीय मंत्री गिरिराज सिंह को जिन्होंने अपने राष्ट्रीय अध्यक्ष अमित साह के सामने बेगुसराय कि मंच पर मुस्लिम समुदाय के लोगों को कहा है कि अगर क़ब्र के लिए तीन इंच ज़मीन चाहिए तो आपको वंदेमातरम् का गानऔर भारत माता की जय कहना होगा।अन्यथा देश तुम्हें कभी माफ़ नहीं करेगी । pic.twitter.com/ZrkHNkH5Au
— manish (@manishndtv) 24 April 2019
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
