Coronavirus ના કેસોમાં તયો ખટાડો, 24 કલાકમાં 7633 કેસ નોધાયા
કોરોના સક્રપણમાં છેલ્લા થોડા દિવસથી વધારો થઇ રહ્યો હતો. જેના લીધે આરોગ્ય વિભાગની ચિતામાં વધારો થયો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણમાં ખટાડો નોધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામં આવેલા આંકડા રાહત આપનારા છે.

આરોગ્ય મત્રાલય દ્વારા 18 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા કોરોના વાયરસના આંકડા અનુસાર ભારતમાં નવા 7633 કેસ નોધાયા છે. તેમ જ 6720 લોકો કોવિડ 19 સક્રમણથી સાર થયાબાદ તેમને હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કોરોના સંકમણની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યા છે .
દેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં વધીને 61,233 થઇ ગઇ હતી. આ પહેલા રવિવારે 16 એપ્રિલના 9હજાર 111 સંક્રમણના નવા દર્દી સામે આવ્યા હતા. જ્યારે 27 લોકોની મો થઇ હતી. શનિવારે 10093 અને શુક્રવારે 10753 નવા કેસ દાખલ થયા હતા. સૌથી વધારે 13 એપ્રિલના 11 હજાર થી વધારે કેસ નોધાયા હતા .
ભારતમાં એક્ટીવી કેસોની સંખ્યા 61233 છે દૈનિક સંક્રમણનો દર 3.62 ટકા છે. જ્યારે સાપ્તાહીક સકારાત્કમકતા દર 5.04 ટકા છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લોકો પાસે માસ્ક પહેરવા અને કોવિડ ગાઇડલાઇનોનુ પાલન કરવાની સલાહ આપી છે.
કોવીડ 19 સંક્રમણને રોકવા માટે સૌથી મહત્વપૂર્ણ છે કે, લોકો માસ્ક પહેરવાનુ શરુ કરે. કોઇ ભીડ વાળી જગ્યા પર જતા સમયે માસ્ક પહેરવાનું જોઇએ. હોસ્પિટલ જેવી જગ્આએ ડબલ લેયર માસ્કનો ઉપયોગ કરે.
જાણકારોનું માનવુ છેકે, રસીકરણ 100 ટકા સુરક્ષા પ્રદાન નહી કરે. જો તમારે કોવીડ રસીના ડોઝ લીધા હોય તો તમને સંક્રમણ થઇ શકે છે. એટલા માટે કોવિડ ગાઇડલઆઇનુ પાલન કરે અને માસ્કનો પણ પ્રયોગ કરે.












Click it and Unblock the Notifications
