બિહારમાં અચાનક સીડી તૂટતા ડેપ્યૂટી CM તારકિશોર પ્રસાદ જમીન પર પડ્યા
બિહારના કટિહારમાં લોન વિતરણ કાર્યક્રમમાં પહોંચેલા બિહારના ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ સીડી તુટ્યા બાદ પડી ગયા હતા. તેમના બોડીગાર્ડ સહિત છ લોકો સીડી પરથી પડી ગયા હતા. મનસાહી બ્લોક હેઠળ બેંક ઓફ બરોડાની કુરેથા શાખા દ્વારા
બિહારના કટિહારમાં લોન વિતરણ કાર્યક્રમમાં પહોંચેલા બિહારના ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ સીડી તુટ્યા બાદ પડી ગયા હતા. તેમના બોડીગાર્ડ સહિત છ લોકો સીડી પરથી પડી ગયા હતા. મનસાહી બ્લોક હેઠળ બેંક ઓફ બરોડાની કુરેથા શાખા દ્વારા મંગળવારે મોડી સાંજે લોન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી સીએમ મુખ્ય અતિથિ હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. સવાલ એ ઊભો થાય છે કે આવા કાર્યક્રમમાં આખરે આવી ઘોર બેદરકારી કેવી રીતે બની છે. સ્ટેજની સીડી મજબૂત ન હતી કે ક્ષમતા કરતા વધુ લોકો સવાર થયા તે તપાસનો વિષય છે.
ડેપ્યૂટી તારકિશોર પ્રસાદે સભાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્ય અને દેશના વિકાસમાં બેંકો મહત્વની ભૂમિકા ભજવે છે. 100 આજીવિકા દીદીઓમાં સામૂહિક રીતે મંજૂર કરાયેલા રૂ.5 કરોડની રકમના પ્રથમ હપ્તા તરીકે રૂ.1 કરોડનો પ્રતીકાત્મક ચેક વહેંચવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આજીવિકા દીદીએ રાજ્યભરમાં વધુ સારું કામ કર્યું છે. તેઓ બેંક દ્વારા સમયસર ચૂકવવામાં આવતી લોન ચૂકવીને આગળ વધી રહ્યા છે એટલું જ નહીં, આવા જૂથો રાજ્ય અને દેશના વિકાસમાં પણ સહકાર આપી રહ્યા છે. તેથી સરકાર આવા જૂથને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહી છે.
આ પ્રસંગે પ્રાણપુરના ધારાસભ્ય નિશા સિંહ, ભાજપ અધ્યક્ષ લકખી મહતો, AGM શંકર કુમાર ઝા, કુરેઠા શાખાના મેનેજર શેખર સિંહા, જીવિકા DPM મૃત્યુંજય કુમાર જ્ઞાની અને સ્થાનિક ગ્રામજનો અને જીવિકા દીદી ઉપસ્થિત રહ્યા હતા.