દેશમાં છેલ્લા 24 કલાકમાં 4.20 લાખ લોકોનો થયો કોરોના ટેસ્ટ
ભારતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. એવામાં સરકાર કોરોના દર્દીઓનો ઈલાજ કરાવવા ઉપરાંત કોવિડ-19નો ટેસ્ટ કરાવવા પર વધુ ફોકસ કરી રહી છે.
ભારતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. એવામાં સરકાર કોરોના દર્દીઓનો ઈલાજ કરાવવા ઉપરાંત કોવિડ-19નો ટેસ્ટ કરાવવા પર વધુ ફોકસ કરી રહી છે જેથી કોરોના સંક્રમિતોની ઓળખ જલ્દી થઈ શકે અને તેનો ઈલાજ થઈ શકે. આને ધ્યાનમાં રાખીને સરકારે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 4,20,000થી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આ પહેલી વાર છે કે માત્ર એક દિવસમાં દેશભરમાં આટલી મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરાવ્યા છે.
આઈસીએમઆર દ્વારા જારી રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. શુક્રવારે 4.20 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ નવા ટેસ્ટ કરાવાયા બાદ દેશમાં મહામારી ફેલાયા બાદથી અત્યાર સુધી 1,58,49,068 લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાથી 13,37,022 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 31,406 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થઈ ચૂક્યા છે. જો કે 8,50,107 આ વાયરસની ચપેટમાં આવ્યા બાદ રિકવર થઈ ચૂક્યા છએ. દેશમાં કોરોનાને મ્હાત આપીને રિકવર થનારની સંખ્યા સક્રિય કેસોની સંખ્યાથી વધુ છે. વર્તમાન સમયમાં ભારતમાં કુલ કોરોનાના સક્રિય કેસોની કુલ સંખ્યા 4,55,089 છે.
For the first time, a record number of more than 4,20,000 #COVID19 tests conducted in a single day. With 4,20,898 samples tested in last 24 hours, the Tests Per Million (TPM) has increased to 11,485 and cumulative testing to 1,58,49,068: Govt of India (Representational pic) pic.twitter.com/kWR1U00phR
— ANI (@ANI) July 25, 2020
મહેસાણાઃ 600 મેટ્રિક ટન નકલી ઘી પકડાતા દૂધસાગર ડેરીના MD કરાયા સસ્પેન્ડ