For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં છેલ્લા 24 કલાકમાં 4.20 લાખ લોકોનો થયો કોરોના ટેસ્ટ

ભારતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. એવામાં સરકાર કોરોના દર્દીઓનો ઈલાજ કરાવવા ઉપરાંત કોવિડ-19નો ટેસ્ટ કરાવવા પર વધુ ફોકસ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. એવામાં સરકાર કોરોના દર્દીઓનો ઈલાજ કરાવવા ઉપરાંત કોવિડ-19નો ટેસ્ટ કરાવવા પર વધુ ફોકસ કરી રહી છે જેથી કોરોના સંક્રમિતોની ઓળખ જલ્દી થઈ શકે અને તેનો ઈલાજ થઈ શકે. આને ધ્યાનમાં રાખીને સરકારે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 4,20,000થી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આ પહેલી વાર છે કે માત્ર એક દિવસમાં દેશભરમાં આટલી મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરાવ્યા છે.

corona

આઈસીએમઆર દ્વારા જારી રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. શુક્રવારે 4.20 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ નવા ટેસ્ટ કરાવાયા બાદ દેશમાં મહામારી ફેલાયા બાદથી અત્યાર સુધી 1,58,49,068 લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાથી 13,37,022 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 31,406 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થઈ ચૂક્યા છે. જો કે 8,50,107 આ વાયરસની ચપેટમાં આવ્યા બાદ રિકવર થઈ ચૂક્યા છએ. દેશમાં કોરોનાને મ્હાત આપીને રિકવર થનારની સંખ્યા સક્રિય કેસોની સંખ્યાથી વધુ છે. વર્તમાન સમયમાં ભારતમાં કુલ કોરોનાના સક્રિય કેસોની કુલ સંખ્યા 4,55,089 છે.

મહેસાણાઃ 600 મેટ્રિક ટન નકલી ઘી પકડાતા દૂધસાગર ડેરીના MD કરાયા સસ્પેન્ડમહેસાણાઃ 600 મેટ્રિક ટન નકલી ઘી પકડાતા દૂધસાગર ડેરીના MD કરાયા સસ્પેન્ડ

English summary
IN last 24 hours across the country Corona test of 4.20 lakh people done.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X