મણીપુરમાં હિંસાને લઈને તંત્રની સખત કાર્યવાહી, ગોળી મારવાના આદેશ કરાયા
મણીપુરમાં સતત વધી રહેલી હિંસાને લઈને સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. રાજ્યમાં દંગાઈઓને કાબુ કરવા માટે હવે શુટ એટ સાઈટના ઓર્ડર આપવામાં આવ્યા છે. હવે દંગાઈઓને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે.
મણિપુરમાં હિંસાને લઈને સરકાર સખ્ત બની છે. પ્રશાસને તોફાની તત્વોને કાબુ કરવા કડક સૂચના આપી છે. અહેવાલો અનુસાર, રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આદેશ કરાયા છે કે તોફાનીઓને જોતા જ ગોળી મારવામાં આવે.

હવે રાજ્યમાં તોફાન પ્રભાવિત વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને આરએફ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં દંગાઈઓને ગોળી મારવાના આદેશ સાથે કેટલીક શરતો લાગુ કરાઈ છે. ગોળી મારવાનો આદેશ ત્યારે જ લાગુ થશે જ્યારે તોફાનીઓને ચેતવણીઓ અને સમજાવટ પછી પણ પરિસ્થિતિ કાબૂમાં ન આવે.
અહીં તમને જણાવી દઈએ કે, આદિવાસી સ્ટુડન્ટ યુનિયને રાજ્યમાં મૈતૈઇ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાના વિરોધમાં કૂચ કરી હતી. આ કુંચ બાદ હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હિંસા પર કાબૂ મેળવવા માટે મણિપુરના અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
હાલ રાજ્યમાં પરિસ્થિતિ તંગ છે અને ઘણા જિલ્લાઓમાં સેના અને આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરાયા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સેનાની ફ્લેગ માર્ચ ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
