કેન્દ્રિય કર્માચારીઓને સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

નવી દિલ્હી : વધી રહેલી મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ હવે વધીને 42 ટકા થઈ ગયુ છે. વધેલું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2023થી કર્મચારીઓને મળશે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેન્દ્ર મોંઘવારી ભથ્થામાં વધારા માટે 12,815 રૂપિયા ખર્ચ કરશે.
આનાથી લગભગ 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનરોને લાભ થશે. કેન્દ્ર સરકારે 7માં કેન્દ્રીય પગાર પંચ દ્વારા ભલામણ કરાયેલી ફોર્મ્યુલા અનુસાર, આ ડીએમાં વધારો કર્યો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં ડીએ વધારવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. જાન્યુઆરી 2023થી મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ મળશે. તેનાથી સરકાર પર દર વર્ષે 12815 કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે.
અહીં જણાવી દઈએ કે, છેલ્લે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2022માં ડીએમાં વધારો કર્યો હતો. જે 1 જુલાઈ 2022 થી અત્યાર સુધી મળી રહ્યું છે. તે સમયે પણ તેમાં 4 ટકાનો વધારો કરીને 38 ટકા કરવામાં આવ્યુ હતુ. વધતી મોંઘવારીની ભરપાઈ કરવા સરકાર તેના કર્મચારીઓને ડીએ આપે છે અને પેન્શનરોને મોંઘવારી રાહત આપે છે. તેની ગણતરી લેટેસ્ટ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI-IW ના આધારે કરવામાં આવે છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
