Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતે શ્રીલંકા સાથેની 1974ની સમજુતી રદ કરવી જોઇએ : જયલલિથા

jaylalitha
નવી દિલ્હી, 27 માર્ચ : શ્રીલંકાના નૌસૈનિકો તરફથી ભારતીય માછીમારો પર વધતા જતી હુમલાઓની ઘટનાઓને પગલે ચિંતા વ્યક્ત કરતા તમિલનાડુ સરકારે કેન્દ્રને જણાવ્યું છે કે આ સમગ્ર બાબતને અંકુશમાં લેવા માટે તેમણે રાજદ્વારી પહેલ કરવી જોઇએ. આ સાથે તમિલનાડુએ કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે કે 1974ની એ સમજુતીનો અંત લાવવામાં આવે જે અંતર્ગત કચ્ચાતીવુ ટાપુ શ્રીલંકાને આપી દીધો હતો.

બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિથાએ એવું પણ સંભળાવી દીધું છે કે જો આઇપીએલમાં શ્રીલંકાના ખેલાડીઓ રમશે તો રાજ્યમાં આઇપીએલની એક પણ મેચ રમવા દેવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

તેમણે તમિળનાડુ વિધાનસભામાં મહત્વની ચર્ચા દરમિયાન એક પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું કે જો યુપીએ સરકાર શ્રીલંકા સંબંધિત માંગ પૂરી કરવામાં નિષ્ફળ રહેશે તો તેમની સરકાર આ અંગ કાયદાકીય ઉપાય હાથ ધરવા માટે મજબૂર બનશે.

જયલલિથાએ એમ પણ જણાવ્યું કે અમે ભારતીય માછીમારો પર શ્રીલંકાના નૌસૈનિકો દ્વારા થઇ રહેલા હુમલાની નિંદા કરીએ છીએ. સાથે તેમણે જણાવ્યું કે શ્રીલંકાને ક્ચ્ચાતીવું આપ્યા બાદ શ્રીલંકાના સૈનિકો તરફથી ભારતીય માછીમારો પર હુમલાની સંખ્યા વધી ગઇ છે. શ્રીલંકા મૂળભૂત અધિકારો સાથે સંકળાયેલી સમજુતિની અનેક બાબતોને માની રહ્યું નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X