ભારતે શ્રીલંકા સાથેની 1974ની સમજુતી રદ કરવી જોઇએ : જયલલિથા

બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિથાએ એવું પણ સંભળાવી દીધું છે કે જો આઇપીએલમાં શ્રીલંકાના ખેલાડીઓ રમશે તો રાજ્યમાં આઇપીએલની એક પણ મેચ રમવા દેવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
તેમણે તમિળનાડુ વિધાનસભામાં મહત્વની ચર્ચા દરમિયાન એક પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું કે જો યુપીએ સરકાર શ્રીલંકા સંબંધિત માંગ પૂરી કરવામાં નિષ્ફળ રહેશે તો તેમની સરકાર આ અંગ કાયદાકીય ઉપાય હાથ ધરવા માટે મજબૂર બનશે.
જયલલિથાએ એમ પણ જણાવ્યું કે અમે ભારતીય માછીમારો પર શ્રીલંકાના નૌસૈનિકો દ્વારા થઇ રહેલા હુમલાની નિંદા કરીએ છીએ. સાથે તેમણે જણાવ્યું કે શ્રીલંકાને ક્ચ્ચાતીવું આપ્યા બાદ શ્રીલંકાના સૈનિકો તરફથી ભારતીય માછીમારો પર હુમલાની સંખ્યા વધી ગઇ છે. શ્રીલંકા મૂળભૂત અધિકારો સાથે સંકળાયેલી સમજુતિની અનેક બાબતોને માની રહ્યું નથી.












Click it and Unblock the Notifications
