For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India covid update : છેલ્લા 24 કલાકમાં 19,968 નવા પોઝિટિવ કેસ અને 673 મૃત્યુ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે બંધ થઈ ગઈ છે, પરંતુ આજે રવિવારના રોજ (20 ફેબ્રુઆરી) મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી : ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે બંધ થઈ ગઈ છે, પરંતુ આજે રવિવારના રોજ (20 ફેબ્રુઆરી) મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારના રોજ (20 ફેબ્રુઆરી) ભારતમાં છેલ્લા 24 કલાકમાં 19 હજાર 968 નવા કેસ નોંધાયા છે.

covid

આવા સમયે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 673 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન એક જ દિવસમાં 48,847 લોકો કોવિડ 19થી સાજા થયા છે. હાલમાં દેશમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 24 હજાર 187 છે. જે કુલ કોરોના સંક્રમિત કેસના 0.52 ટકા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 11 હજાર 903 લોકોના મોત થયા છે. દેશમાં રિકવરીની કુલ સંખ્યા 4,20,86,383 છે. આવા સમયે દેશમાં 175.37 કરોડ રસીના ડોઝ સ્થાપિત કરવામાં આવ્યા છે. કુલ રસીકરણનો આંકડો 1,75,37,22,697 છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં ગુરૂવારના રોજ કોવિડ 19ના 486 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 13 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1419 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 197, વડોદરામાં 101, રાજકોટમાં 20, સુરતમાં 32, ગાંધીનગરમાં 17 અને બનાસકાંઠામાં 20 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,887 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,03,508 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5790 છે.

English summary
India covid update : 19968 new positive cases and 673 death has reported in the last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X