Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ?
Flight Fare: કેન્દ્ર સરકારે સ્થાનિક હવાઈ ભાડા પર લાદવામાં આવેલી કામચલાઉ મર્યાદા (Price Cap) હટાવી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય ફ્લાઈટ ઓપરેશન સંપૂર્ણપણે સામાન્ય થવા અને હવાઈ મુસાફરીની ક્ષમતા પુનઃસ્થાપિત થયા બાદ લેવામાં આવ્યો છે. હવે હવાઈ ભાડાનું નિર્ધારણ ફરી એકવાર બજારની માંગ અને પુરવઠા (Demand and Supply) ના આધારે થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આદેશ અનુસાર, આ નિર્ણય 23 માર્ચથી અમલી બનશે, જેની સીધી અસર ફ્લાઈટના ભાડા પર પડશે.

સરકારે ક્યારે અને શા માટે લગાવ્યો હતો આ પ્રતિબંધ?
આ પ્રતિબંધ ગયા વર્ષે ડિસેમ્બર 2025માં લાગુ કરવામાં આવયો હતો, જ્યારે ઇન્ડિગો દ્વારા મોટા પાયે ફ્લાઈટ રદ કરવામાં આવતા સમગ્ર સેક્ટરમાં ક્ષમતાની ગંભીર અછત સર્જાઈ હતી. આ પરિસ્થિતિના પરિણામે, દેશના મુખ્ય સ્થાનિક રૂટ પર હવાઈ ભાડામાં ભારે વધારો જોવા મળ્યો હતો. મુસાફરોને આવા અનિયંત્રિત ભાવ વધારાથી બચાવવા માટે મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો હતો.
શું એરલાઈન્સ ભાડું વધારશે?
જોકે, ભાડાની મર્યાદા હટાવવા છતાં, મંત્રાલયે એરલાઈન્સને વાજબી અને સંપૂર્ણ પારદર્શક ભાવ નિર્ધારણ નીતિ જાળવી રાખવા માટે કડક ચેતવણી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો ભાડામાં કોઈ અયોગ્ય કે મનસ્વી ઉછાળો આવશે, તો સરકાર સંભવિત નિયમનકારી હસ્તક્ષેપ (Regulatory Intervention) કરતા પાછળ નહીં હટે.
DGCA ભાડા પર રાખશે કડક નજર
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) પણ રિયલ-ટાઇમ ધોરણે હવાઈ ભાડાનું સતત નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે. મંત્રાલયે એરલાઈન્સને ભાડા નક્કી કરવામાં શિસ્ત અને જવાબદારી જાળવવા સૂચના આપી છે. આદેશ મુજબ, "મુસાફરો પર ખરાબ અસર ન પડે", તે માટે ભાડા વાજબી, પારદર્શક અને બજારની સ્થિતિને અનુરૂપ હોવા જોઈએ.
ભાડા પર નિયંત્રણ રાખવું કેમ જરૂરી છે?
આ મર્યાદાઓનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં ભાવ નિર્ધારણમાં શિસ્ત લાવવાનો અને મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો, જેમાં વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓનો સમાવેશ થાય છે, તેમનું શોષણ રોકવાનો હતો, જેથી તેમને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મંત્રાલયે પણ સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું હતું કે તે રિયલ-ટાઇમ ડેટા અને એરલાઇન્સ તથા ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મ સાથેના સક્રિય સંકલન દ્વારા ભાડાના સ્તરો પર ઝીણવટભરી નજર રાખવાનું ચાલુ રાખશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત







Click it and Unblock the Notifications
