હેલ્થ સેક્ટરે હાસિલ કર્યો વૈશ્વિક વિશ્વાસ, ભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે: પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે કહ્યું કે ભારતે તાજેતરના વર્ષોમાં હેલ્થકેર ક્ષેત્રે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે કહ્યું કે ભારતે તાજેતરના વર્ષોમાં હેલ્થકેર ક્ષેત્રે અદ્ભુત કામ કર્યું છે. કોરોના રોગચાળા દરમિયાન આરોગ્ય ક્ષેત્રના કાર્યની પ્રશંસા કરતા વડા પ્રધાને કહ્યું કે આ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં જે વિશ્વાસ મેળવ્યો છે તે પછી ભારત વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાવા લાગ્યું છે. પોષણક્ષમ ભાવે ઉચ્ચ ગુણવત્તા અને જથ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતીય ફાર્મા સેક્ટરમાં રસ પેદા કર્યો છે. ભારતીય હેલ્થકેર સેક્ટરમાં 2014થી અત્યાર સુધીમાં 12 અરબ ડોલરથી વધુ FDI આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે આ વર્ષે લગભગ 100 દેશોમાં કોરોના વાયરસની રસીના 65 મિલિયનથી વધુ ડોઝની નિકાસ કરી છે. અમે તેને વધુ વધારવા માટે વિચારી રહ્યા છીએ. આગામી દિવસોમાં, અમે અમારી રસી ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીશું, અમે આ સંદર્ભમાં વધુ કરીશું. આપણે રસીઓ અને દવાઓ માટેના મુખ્ય ઘટકોના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા પર ધ્યાન આપવું પડશે.
પીએમએ કહ્યું, અમારું વિઝન એક એવી ઇકોસિસ્ટમ બનાવવાનું છે જે ભારતને દવાની શોધ અને તબીબી ઉપકરણોમાં નવીનતામાં અગ્રેસર બનાવશે. અમે નિયમનકારી માળખા પર ઉદ્યોગની માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને આ દિશામાં સક્રિયપણે કામ કરી રહ્યા છીએ.
વિશ્વને આમંત્રિત કર્યુ
પોતાના સંબોધનમાં PM એ કહ્યું, હું તમને બધાને ભારતમાં વિચારવા, ભારતમાં નવીનતા લાવવા, ભારતમાં નિર્માણ કરવા અને વિશ્વ માટે નિર્માણ કરવા આમંત્રણ આપું છું. અમારી પાસે ઇનોવેશન અને એન્ટરપ્રાઇઝ માટે જરૂરી પ્રતિભા, સંસાધનો અને ઇકોસિસ્ટમ છે. અમે નિયમનકારી માળખા પર ઉદ્યોગની દિશા પર પણ સક્રિયપણે કામ કરી રહ્યા છીએ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
