Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય એર ચીફ માર્શલે આપી પાકિસ્તાનને ધમકી

INDIA_AIR_FORCE
નવીદિલ્હી, 12 જાન્યુઆરીઃ પૂંછમાં બે ભારતીય સૈનિકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન સરહદ પર ચાલી રહેલા તણાવ બાદ વાયુ સેનાના અધ્યક્ષે પાકિસ્તાનને કડક ચેતવણી આપી દીધી છે. વાયુ સેના અધ્યક્ષ એન એ કે બ્રાઉને શનિવારે કહ્યું કે, જો પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવાનું યથાવત રહેશે તો બીજા વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવી શકે છે.

આ પહેલા કાશ્મીરમાં ભારત-પાક સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન અને બે ભારતીય સૈનિકોના મોત પર શનિવારે સવારે રક્ષા મંત્રી એકે એન્ટોની સાથે ઉચ્ચ કક્ષાની બેઠક કરવામાં આવી છે. જેમાં આર્મી ચીફ જનરલ બિક્રમ સિંહ અને રક્ષા સચિવ ઉપસ્થિત હતા. આર્મી ચીફે રક્ષા મંત્રીને ભારતીય સીમા પર આ ઘટના અંગે બદલાની હાલાત અંગે જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાલ એલઓસી પર સૈનિક વધારવાની જરૂરિયાતથી ઇન્કાર કરવામાં આવ્યો છે. હા, સરહદ પર ચોકીઓ વધારી દેવામાં આવી છે.

આ વચ્ચે પાકિસ્તાને એલઓસીમાં તણાવ ઘટાડવા માટે બ્રિગેડિયર કક્ષાની ફ્લેગ મીટિંગ માટે ભારતને કોઇ રિસ્પોન્સ આપ્યો નથી. પાકિસ્તાન તરફથી એવા સમાચાર છે કે પાકિસ્તાને અત્યારે તમામ સૈનિકોની રજા રદ કરી નાંખી છે. સૈનિકોને ડ્યૂટી પર રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X