Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મ્યાનમાર બોર્ડર પર સેનાની સર્જીકલ સ્ટ્રાઈકમાં ઘણા આતંકી ઠાર, ડ્રોનનો પણ ઉપયોગ

ભારત અને મ્યાનમારની સેનાએ 17 ફેબ્રુઆરી અને 2 માર્ચના રોજ સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવ્યો હતો.

26 ફેબ્રુઆરીના રોજ આખો દેશ અને દુનિયા પાકિસ્તાનના બાલાકોટમાં થયેલા હવાઈ હુમલા વિશે જાણકારી લઈ રહ્યુ હતુ ત્યારે ઈન્ડિયન આર્મી ભારત-મ્યાનમાર બોર્ડર પર એક મોટા ઑપરેશનને અંજામ આપી રહી હતી. સેનાએ મ્યાનમારની સેના સાથે મળીને ભારત-મ્યાનમાર બોર્ડર પર હાજર આતંકી તત્વોનો સફાયો કરવાના હેતુથી આ એક મોટા ઑપરેશનને અંજામ આપ્યો છે. ભારત અને મ્યાનમારની સેના વચ્ચે 17 ફેબ્રુઆરી અને 2 માર્ચના રોજ સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવ્યો હતો. આ મિશનનો હેતુ નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં ચાલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટ ખતરો બનેલા તત્વોને ખતમ કરવાનો હતો. મ્યાનમારમાં હાજર સંગઠન આ પ્રોજેક્ટસ માટે ખતરો હતા.

મ્યાનમાર બોર્ડર પર સેનાના કેમ્પ્સ

મ્યાનમાર બોર્ડર પર સેનાના કેમ્પ્સ

મિઝોરમને કોલકત્તા સાથે કરવા સાથે જ પ્રોજેક્ટ ખતમ થઈ જશે. આ પ્રોજેક્ટ પૂરા થવાતી મિઝોરમ અને કોલકત્તા વચ્ચે અંતર ખતમ થઈ શકશે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ કોલકત્તાથી મિઝોરમ સુધી અંતર લગભગ ઓછુ થઈ શકશે અને આ બસ ચાર દિવસમાં નક્કી કરવામાં આવી શકશે. સૂત્રો મુજબ કાલદાન પ્રોજેક્ટની સુરક્ષા માટે ઈન્ડિયન આર્મીએ બધા આતંકીઓને ખતમ કરવાની જવાબદારી ઉઠાવી. આના માટે મિઝોરમની દક્ષિણમાં બેઝ તૈયાર કરવામાં આવ્યા જે મ્યાનમાર બોર્ડર પાસે છે.

એનએસસીએન(કે) આતંકીઓનો સફાયો

એનએસસીએન(કે) આતંકીઓનો સફાયો

મોટાપાયે જોઈન્ટ ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને પહેલા ફેઝમાં તેમના કેમ્પને ખતમ કરવામાં આવ્યા જે મિઝોરમ પાસે બોર્ડર પર હતા. બીજા ફેઝમાં ખતરનાક નાગા સંગઠન એનએસસીએન(કે)ને નિશાન બનાવ્યા અને તેમને નષ્ટ કરવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ રીતનું ઑપરેશન પહેલી વાર હતુ. આ ઑપરેશન હેઠળ ટ્રુપ્સનું ડિપ્લોયમેન્ટ એવુ હતુ કે આખુ ભારત-મ્યાનમાર બોર્ડર કવર થઈ શકે. બે સપ્તાહ સુધી ચાલ્યા બાદ આ ઑપરેશન બે માર્ચે ખતમ થયુ છે.

ઘણા પ્રકારના ઈક્વિપમેન્ટ્સની મદદ

ઘણા પ્રકારના ઈક્વિપમેન્ટ્સની મદદ

આ ઑપરેશન દરમિયાન ઈન્ડિયન આર્મી, અસમ રાઈફલ્સ અને બીજી ઈન્ફેન્ટ્રી યુનિટ્સને પણ શામેલ કરવામાં આવી હતી. ઑપરેશનમાં હેલીકોપ્ટર્સ, ડ્રોન્સ અને બીજા સર્વિલન્સ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપકરણોની મદદથી આતંકીઓની યોગ્ય સંખ્યાનું અનુમાન લાગી શક્યુ અને તેમને નિશાના પર લેવામાં આવ્યુ. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા બે વર્ષોમાં કાચિન ઈન્ડીપેન્ડસ આર્મી (કેઆઈએ) એ લગભગ 3000 કેડર્સ તૈયાર કરી લીધા હતા. આ કેડર્સ મિઝોરમ પાસે લવાંગત્લા સુધી આવી ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X