અગ્નિવીર યોજનામાં શહીદના પરિવારને કેટલી આર્થિક મદદ મળશે, સેનાએ રાહુલ ગાંધીને જણાવ્યુ

Agniveer Scheme: સિયાચિનમાં જીવ ગુમાવનાર અક્ષય લક્ષ્મણ માટે ભારતીય સેનાએ રવિવારે જણાવ્યુ કે લાખો રુપિયાની રકમ અગ્નિવીરના પરિવારને આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સિયાચીનમાં શહીદ થયેલા બહાદુર અક્ષય લક્ષ્મણની શહીદી બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાની ઊંડી સંવેદના જાહેર કરીને કહ્યું હતુ કે સિયાચીનમાં તેમની શહીદીના સમાચાર ખૂબ જ દુખદ છે, તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.

rahul gandhi

તેમણે વધુમાં કહ્યુ હતુ કે એક યુવાન દેશ માટે શહીદ થયો અને તેની સેવા માટે તેને ગ્રેજ્યુટી સહિત અન્ય કોઈ આર્થિક મદદ નહિ મળે. શહીદ થવા પર પરિવારને પેન્શન પણ આપવામાં આવતું નથી. રાહુલ ગાંધીએ અગ્નિ વીર યોજનાને વીરોનું અપમાન કરવાની યોજના ગણાવીને ટિપ્પણી કરી. આના પર ભારતીય જનતા પાર્ટીએ વાંધો વ્યક્ત કર્યો.

સેનાએ જવાબ રુપે જણાવ્યુ કે નિયમો મુજબ બિન અંશદાયી વીમાના 48 લાખ રુપિયા, અનુગ્રહ 44 લાખ રુપિયા, ચાર વર્ષના બચેલા કાર્યકાળના વેતન રુપે 13 લાખથી વધુ, આર્મ્ડ ફોર્સિસ કેઝ્યુઅલ્ટી ફંડમાંથી 8 લાખ રુપિયાનુ યોગદાન, તત્કાલ 30 હજાર રુપિયાની મદદ અને સેવા નિધિમાં અગ્નિવીર કે યોગદાન(30%) પણ પરિવારને મળશે. આમાં સરકારનુ યોગદાન અને વ્યાજ પણ સામેલ હશે.

માહિતી જાહેર કરતી વખતે ભારતીય સેનાએ કહ્યું છે કે અક્ષય લક્ષ્મણે સિયાચીનમાં જીવ ગુમાવ્યો આ દુખદ ઘડીમાં ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારની સાથે છે. આર્થિક મદદ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવી ખૂબ જ જરૂરી છે જેથી અન્ય લોકો સ્પષ્ટપણે જાણી શકે કે આ યોજનામાં કઈ જોગવાઈઓ સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X