અગ્નિવીર યોજનામાં શહીદના પરિવારને કેટલી આર્થિક મદદ મળશે, સેનાએ રાહુલ ગાંધીને જણાવ્યુ
Agniveer Scheme: સિયાચિનમાં જીવ ગુમાવનાર અક્ષય લક્ષ્મણ માટે ભારતીય સેનાએ રવિવારે જણાવ્યુ કે લાખો રુપિયાની રકમ અગ્નિવીરના પરિવારને આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે સિયાચીનમાં શહીદ થયેલા બહાદુર અક્ષય લક્ષ્મણની શહીદી બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાની ઊંડી સંવેદના જાહેર કરીને કહ્યું હતુ કે સિયાચીનમાં તેમની શહીદીના સમાચાર ખૂબ જ દુખદ છે, તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.

તેમણે વધુમાં કહ્યુ હતુ કે એક યુવાન દેશ માટે શહીદ થયો અને તેની સેવા માટે તેને ગ્રેજ્યુટી સહિત અન્ય કોઈ આર્થિક મદદ નહિ મળે. શહીદ થવા પર પરિવારને પેન્શન પણ આપવામાં આવતું નથી. રાહુલ ગાંધીએ અગ્નિ વીર યોજનાને વીરોનું અપમાન કરવાની યોજના ગણાવીને ટિપ્પણી કરી. આના પર ભારતીય જનતા પાર્ટીએ વાંધો વ્યક્ત કર્યો.
સેનાએ જવાબ રુપે જણાવ્યુ કે નિયમો મુજબ બિન અંશદાયી વીમાના 48 લાખ રુપિયા, અનુગ્રહ 44 લાખ રુપિયા, ચાર વર્ષના બચેલા કાર્યકાળના વેતન રુપે 13 લાખથી વધુ, આર્મ્ડ ફોર્સિસ કેઝ્યુઅલ્ટી ફંડમાંથી 8 લાખ રુપિયાનુ યોગદાન, તત્કાલ 30 હજાર રુપિયાની મદદ અને સેવા નિધિમાં અગ્નિવીર કે યોગદાન(30%) પણ પરિવારને મળશે. આમાં સરકારનુ યોગદાન અને વ્યાજ પણ સામેલ હશે.
માહિતી જાહેર કરતી વખતે ભારતીય સેનાએ કહ્યું છે કે અક્ષય લક્ષ્મણે સિયાચીનમાં જીવ ગુમાવ્યો આ દુખદ ઘડીમાં ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારની સાથે છે. આર્થિક મદદ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવી ખૂબ જ જરૂરી છે જેથી અન્ય લોકો સ્પષ્ટપણે જાણી શકે કે આ યોજનામાં કઈ જોગવાઈઓ સામેલ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
