Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય પત્રકાર પર અર્શદીપને બદનામ કરવાનો આરોપ લાગ્યો, BJP નેતાએ FIR નોંધાવી

ભારતીય પત્રકાર પર અર્શદીપને બદનામ કરવાનો આરોપ લાગ્યો, BJP નેતાએ FIR નોંધાવી

એશિયા કપ 2022માં પાકિસ્તાન સામે ભારતીય ટીમની હાર બાદથી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થયો છે. હદ તો ત્યારે પાર થઈ ગઈ જ્યારે સોમવારે પાકિસ્તન તરફથી અર્શદીપની લિંક ખાલિસ્તાન સાથે જોડી દેવામાં આવી. જો કે બારતમાં અર્શદીપને પૂરું સમર્થન મળ્યું અને આખો દેશ એક થઈ અર્શદીપ સિંહ સાથે ઉભો થઈ ગયો, પરંતુ છતાં પણ આપણા દેશમાં અમુક એવા લોકો છે જેમના પર અર્શદીપની છબી ખરાબ કરવાના સનસનીખેજ આરોપો લાગ્યા છે, અને આ મામલો હવે દિલ્હી પોલીસ સુધી પહોંચી ગયો છે.

ભાજપના નેતાએ FIR નોંધાવી

ભાજપના નેતાએ FIR નોંધાવી

ઉલ્લેખનીય છે કે, ફેક્ટ ચેકર અને ઈન્ડિયન જર્નલિસ્ટ મોહમ્મદ જુબૈર વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તેમણે અર્શદીપ સિંહ અને સિખ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કર્યું છે. મોહમ્મદ જુબૈર વિરુદ્ધ ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

પાકિસ્તાન ટ્વીટની લિંક જુબૈર સાથે

પાકિસ્તાન ટ્વીટની લિંક જુબૈર સાથે

મનજિંદર સિંહ સિરસાએ પોતાની ફરિયાદમાં જુબેરના એક ટ્વીટનો હવાલો આપ્યો જેમાં તેમણે વિવિધ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલ અર્શદીપ વિરુદ્ધના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. જેમાંથી મોટાભાગના ટ્વીટ પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યા છે, માટે માનવામાં આવી રહ્યું છે કે આ મામલામાં અમુક હદ સુધી જુબૈરનો હાથ હોય શકે છે. સિરસાએ દિલ્હી પોલીસ સમક્ષ માંગ કરી છે કે મોહમ્મદ જુબૈર પાકિસ્તાન અથવા ભારતમાં કોના કોના સંપર્કમાં છે તેની માહિતી મેળવવામાં આવે.

સિરસાએ આ આરોપ લગાવ્યા

સિરસાએ આ આરોપ લગાવ્યા

ભાજપી નેતા સિરસા મુજબ અર્શદીપ સિંહને ટ્રોલ કરનાર મોટાભાગના ટ્વીટ પાકિસ્તાની ટ્વિટર અકાઉન્ટથી થયાં છે. સિરસાએ આરોપ લગાવ્યો કે મોહમ્મદ જુબૈરે રાષ્ટ્ર વિરોધી તત્વોના ઈશારે કામ કર્યું હતું, માટે તેમની સામે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરવામાં આવે. મનજિંદર સિંહ સિરસાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે. પોતાના ટ્વીટ દ્વારા તેમણે જણાવ્યું કે જુબૈરનો ઉદ્દેશ્ય ભારતીય ખેલાડીને બદનામ કરવાનો હતો. તેમણે સિખ સમુદાયની ભાવનાઓ સાથે રમત રમી છે.

કોણ છે મોહમ્મદ જુબૈર?

કોણ છે મોહમ્મદ જુબૈર?

જણાવી દઈએ કે મોહમ્મદ જુબૈર ફેક્ટ ચેકર વેબસાઈટ અલ્ટ ન્યૂજના ફાઉન્ડર છે. તેઓ હંમેશા કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે. 2018માં તેમણે હિન્દૂ દેવી દેવતાઓ વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું, જે ધાર્મિક બાવનાઓને દુભાવતું હતું. માટે તેને 24 દિવસ ુસધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. હાલ તે મામલામાં જુબૈર જામીન પર બહાર છે. જુબૈર વિરુદ્ધ યૂપીના હાથરસ, સીતાપુર, લખીમપુર ખીરી, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ અને ચંદૌલીમાં કેસ નોંધાયેલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X