શ્રીનગર એરપોર્ટ પરથી હેન્ડગ્રેનેડ સાથે ઝડપાયો સેના જવાન
શ્રી નગર એરપોર્ટ પરથી ભારતીય સેનાના એક જવાનની ધરપકડ કરવામાં આી છે. આ જવાનની બેગમાંથી બે હેન્ડ ગ્રેન્ડ મળી આવ્યા હતા.
સોમવારે સવારે શ્રીનગર એરપોર્ટ પરથી એક જવાનની બે હેન્ડ ગ્રેનેડ સાથે ધકપકડ કરવામાં આવી છે. આ જવાન શ્રીનગરથી દિલ્હી રવાના થવાનો હતો. શ્રીનગર એરપોર્ટ પર તેના બેગની તપાસ કરતાં તેમાંથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. કહેવાઇ રહ્યું છે કે, તે આ હેન્ડ ગ્રેનેડ દિલ્હીમાં કોઇને આપવાનો હતો.

આ જવાનની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આ ગ્રેનેડ તેના એક અધિકારીના છે, જે તેણે દિલ્હી નિવાસી કોઇ ખાસ વ્યક્તિને સોંપવાના છે. એરપોર્ટ પર તેના બેગની સ્કેનિંગ દરમિયાન આ બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.
J&K: Army jawan carrying 2 grenades arrested by police at Srinagar airport. More details awaited. pic.twitter.com/VUPrZAOxE0
— ANI (@ANI_news) April 3, 2017
પ્રાપ્ત માહિતી અનુસાર આ જવાન પશ્ચિમ બંગાળ ના દાર્જિલીંગ પાસેના એક ગામનો રહેવાસી છે. તેનું નામ ભૂપલ મુખિયા હોવાનું બહાર આવ્યું છે. આ જવાન જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ફરજ બજાવતો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં આ બીજી વાર છે જ્યારે કોઇ સેનાના કર્મચારીની બેગમાંથી હથિયાર કે વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હોય. હાલ આ જવાનને પોલીસ કસ્ટડીમાં રાખી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
