Covid સામે સીધી જંગ લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને 50 લાખનો વીમો
Covid સામે સીધી જંગ લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને 50 લાખનો વીમો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કોરોના વાયરસ સાથે સીધીજંગ લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે પણ મોટી રાહતનું એલાન કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વિરુદ્ધની લડાઈમાં મોટી રાહત પેકેજનું એલાન કરતા પણ કહ્યું કે સરકાર આ લડાઈને સીધી લડી રહેલ સ્વસ્થ્ય કર્મચારીઓ માટે પણ મોટી રાહતનું એલાન કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં મોટા રાહત પેકેજનું એલાન પણ કર્યું છે અને કહ્યું કે આ લડાઈને સીધી રીતે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓએ 50 લાખ રૂપિયાના જીવન વીમા કવર ઉપલબ્ધ કરાવશે. નાણા મંત્રીએ કોરોના વાયરસના પ્રકોપને પગલે જરૂરિયાતમંદો માટે 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનું એલાન કર્યું છે.

મોદી સરકારે કોરોના વિરુદ્ધ સીધા મોર્ચે જંગ લડનાર સૈનિકોને 50 લાખનો જીવન વીમો કરાવવાનું એલાન કર્યું છે. આ જીવન વીમા કવરમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, આશા વર્કર્સ અને આ લડાઈમાં સામેલ બાકી સરકારે કર્મચારીઓને પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે મોદી સરકારે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રતિ વ્યક્તિ 5 કિલો ચોખા અથવા ઘઉં ત્રણ મહિના સુધી અલગથી દેવાનું પણ એલાન કર્યું છે.












Click it and Unblock the Notifications
