PAN સાથે આધાર લિંક ન કરનાર રોકાણકારોના PAN રદ કરાશે, કઈ છે છેલ્લી તારીખ? - BBC TOP NEWS
PAN સાથે આધાર લિંક ન કરનાર રોકાણકારોના PAN રદ કરાશે, કઈ છે છેલ્લી તારીખ? - BBC TOP NEWS
દેશમાં નાણાબજારની નિયામક એજન્સી સેબીએ શુક્રવારે કહ્યું છે કે રોકાણકારોએ નાણાકીય લેવડદેવડ ચાલુ રાખવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં પૅનને આધાર સાથે લિંક કરાવી લેવું જરૂરી છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર સેબીએ કહ્યું છે કે જે લોકો આવું નહીં કરે, તેમનું પૅન બંધ થઈ જશે અને આનો અર્થ છે કે ગ્રાહકોના KYC અધૂરું માનવામાં આવશે.
આની પહેલાં ગત ફેબ્રુઆરીમાં CBDT એટલે કે સૅન્ટ્રલ બોર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સીસે કહ્યું હતું કે એક જુલાઈ, 2017 પહેલાં આપવામાં આવેલા PANને જો 30 સપ્ટેમ્બર 2021 સુધી આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે.
જોકે નાણાકીય બજારમાં પૅનનંબર જ રોકાણકારોની ઓળખ માટેનું એકમાત્ર સાધન છે, એટલે સીબીડીટીની અધિસૂચનાના પગલે સેબીએ તેનું પાલન કરાવવા કહ્યું છે.
સેબીએ કહ્યું છે કે માત્ર એ જ PAN મારફતે નાણાંની લેવડ-દેવડ કરી શકાશે, જેને આધાર સાથે લિંક કરેલા હશે.
- જેમ્સ બૉન્ડ બોલશે ગુજરાતી, નો ટાઇમ ટુ ડાઈ ક્યારે થશે રજૂ?
- બીબીસી ઍક્સક્લુઝિવ : કોરોનામાં મોદી સરકારે આયુષ્યમાન ભારતને બદલે CAA, NPRના પ્રચાર પાછળ અઢળક ખર્ચ કર્યો?
ભારતને ટોક્યો પૅરાલિમ્કિમાં વધુ એક ગોલ્ડ મેડલ
ટોક્યો પૅરાલિમ્પિક્સમાં શનિવારે ભારતના ખાતામાં બે વધુ મેડલ જોડાઈ ગયા છે.
19 વર્ષના શૂટર મનીષ નરવાલે મિક્સ્ડ 50 એમ પિસ્ટર એસએચ1 ઇવેન્ટમાં ગોલ્ડ અને સિંઘરાજ સિંહે સિલ્વર મેડલ જીત્યો હતો.
આ ટોક્યો પૅરાલિમ્પિકમાં ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. 19 વર્ષના નરવાલે 218.2 પૉઇન્ટ્સ સાથે પૅરાલિમ્પિકમાં રેકર્ડ રચ્યો હતો.
- અમદાવાદમાં 'બે બાળકો બસ'ના પ્રસ્તાવ પાછળ વસતિનિયંત્રણ કે ભાજપનું રાજકીય ગણિત?
- જલિયાંવાલા બાગ નવીનીકરણ પ્રોજેક્ટમાં સામેલ અમદાવાદની કંપનીએ શું કહ્યું?
અમદાવાદમાં ફાયર-સૅફ્ટી મામલે નવ હૉસ્પિટલો બંધ કરવા નોટિસ
અમદાવાદમાં ફાયર-સેફ્ટી એનઓસી રિન્યૂ ન કરાવવા બદલ નવ હૉસ્પિટલોને બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે.
આ હૉસ્પિટલોનાં ફાયર-સેફ્ટીનાં નો ઑબજેક્શન સર્ટિફિકેટની છેલ્લી તારીખ 31 ઑગસ્ટે પૂર્ણ થતી હતી અને વારંવાર રિન્યૂ કરાવવાની વિનંતી છતાં હૉસ્પિટલોએ યોગ્ય પ્રક્રિયા કરી ન હતી, તેથી તેમનાં એનઓસી અમાન્ય થઈ ગયાં હતાં.
આ હૉસ્પિટલોમાં સ્નેહ ચિલ્ડ્રન હૉસ્પિટલ, સિનર્જી હૉસ્પિટલ, સંઘવી હૉસ્પિટલ, અપોલો પ્રાઇમ આઈ હૉસ્પિટલ, દેવમ હૉસ્પિટલ ઍન્ડ ડાયાબિટીઝ કૅર, માધવ મૅટરનિટી ઍન્ડ નર્સિંગ હોમ, મેડિક્યૉર હૉસ્પિટલ, નવોદય હૉસ્પિટલ નિયોનેટ્સ ઍન્ડ ચિલ્ડ્રન હૉસ્પિટલ તથા ઑરેન્જ નિયોનેટલ ઍન્ડ પીડિયાટ્રિક ICU સામેલ છે.
કોરોનાકાળમાં 6 ઑગસ્ટ 2020ના અમદાવાદના નવરંગપુરામાં સ્થિત શ્રેય હૉસ્પિટલમાં આગ લાગતાં આઠ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, "ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે શહેરના 160 રહેણાક અને કૉમર્સિયલ એકમોનાં ફાયર-સેફ્ટીનાં એનઓસીની સમયમર્યાદા 31 ઑગસ્ટે ખતમ થઈ રહી હતી; રિન્યૂ કરવા માટે વારંવાર વિનંતી કરી હતી, પણ તેમાંથી નવ હૉસ્પિટલોએ 31 ઑગસ્ટ સુધી ફાયર-સેફ્ટી એનઓસી રિન્યૂ કરાવ્યાં નહોતાં."
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=PCEgsEzzoEw
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો