IPL 2024 : ચેન્નાઈના ફેન્સ માટે દુખદ સમાચાર, આ સ્ટાર ખેલાડી આઈપીએલમાંથી થઈ શકે છે બહાર
આઈપીએલની સૌથી સફળ ટીમમાંથી એક ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, એક સ્ટાર ખેલાડી આઈપીએલમાંથી બહાર થઈ શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની ગણતરી IPLની સૌથી સફળ ટીમોમાં થાય છે અને તેનું સૌથી મોટું કારણ ચેન્નાઈનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. ગત સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે આઈપીએલ ટ્રોફી પર કબજો કર્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2024ની આ સિઝનની તેની પ્રથમ મેચ 22 માર્ચે રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે રમવા જઈ રહી છે. રોયલ ચેલેન્જર બેંગ્લોર સામેની મેચ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સ્ટાર ખેલાડી તેજ બાદ મુસ્તફિઝુર રહેમાન ઈજાગ્રસ્ત થયો છે. જે બાદ તેના IPL રમવા પર શંકા છે.
મુસ્તાફિઝુર રહેમાન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કરનાર ડેવોન કોનવે પણ ઈજાગ્રસ્ત થયો હતો. ન્યૂઝીલેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન ડેવોન કોનવે ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો.
આ સ્થિતિમાં ટીમને આ સિઝનમાં પણ કોનવે પાસેથી મોટા સ્કોરની અપેક્ષા હતી. પરંતુ કોનવે ઈજાગ્રસ્ત થયો અને આઈપીએલ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ અડધી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.
આ બંને ખેલાડીઓની ઈજાએ ચેન્નાઈની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ વર્ષે યોજાયેલી મીની હરાજીમાં રહેમાનને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ખરીદ્યો હતો.
મુસ્તાફિઝુર રહેમાન ડેથ સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાય છે. છેલ્લી ઓવરોમાં તેની ચોક્કસ લાઇન લેન્થને કારણે તે બેટ્સમેનોને મોટા શોટ મારતા અટકાવે છે. આ સિવાય તેઓ વિકેટ લેવામાં પણ સફળ રહે છે. આવી સ્થિતિમાં રહેમાનની ઈજાના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મોટો ફટકો પડ્યો છે.
જો કે મુસ્તાફિઝુર રહેમાનને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ સામે આવ્યો નથી. પરંતુ શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ઈજાગ્રસ્ત થતાં તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. અપેક્ષા છે કે મુસ્તફિઝુર રહેમાન IPL 2024 માંથી બહાર થઈ શકે છે. જો આમ થાય છે તો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે રહેમાનના સ્થાને નવો ફાસ્ટ બોલર ઉમેરવો પડશે.












Click it and Unblock the Notifications
