IRCTC કૌભાંડઃ પટિયાલા હાઉસ કોર્ટે લાલૂ પ્રસાદ યાદવને આપી રાહત, સુનાવણી 11 ફેબ્રુઆરી સુધી ટળી
IRCTC કૌભાંડમાં પટિયાલા હાઉસ કોર્ટે લાલૂને આપી રાહત
નવી દિલ્હીઃ આઈઆરસીટીસી કૌભાંડ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન લાલૂ પ્રસાદ યાદવને ફરી એકવાર રાહત મળી છે. કોર્ટે લાલૂ પ્રસાદ યાદવને ફરી એકવાર રાહત મળી છે. કોર્ટે લાલૂ પ્રસાદ યાદવ સાથે જોડાયેલ IRCTC કૌભાંડ મામલાની આગામી સુનાવણી 11 ફેબ્રુઆરી સુધી ટાળી દીધી છે. પાછલી સુનાવણીમાં કૌભાંડ સાથે જોડાયેલ બંને મામલામાં લાલૂ પરિવારને પટિયાલા હાઉસ કોર્ટથી રાહત મળી ગઈ હતી, જ્યાં લાલૂ પ્રસાદ યાદવને બંને મામલામાં કોર્ટે ઈન્ટર્ન જામીન આપી દીધા હતા.
પટિયાલા હાઉસ કોર્ટમાં થયેલ સુનાવણી દરમિયાન ઈડીએ IRCTC કૌભાંડમામ આોપીઓને મળેલ વચગાળાના જામીનનો વિરોધ ક્યો છે. અગાઉ પાછલા મહિને ડિસેમ્બરમાં IRCTC કૌભાંડ મામલામાં રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવને વચગાળાના જામીન મળ્યા હતા. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે લાલૂ યાદવને આ કેસમાં વચગાળાના જામીન આપતા આગલી સુનાવણી 19મી જાન્યુઆરીએ નક્કી કરી હતી.
જણાવી દઈએ કે લાલૂ પ્રસાદ યાદવ પહેલા જ ચાા કૌભાંડ મામલામાં સજા કાપી રહ્યા છે અને સ્વાસ્થ્ય ઠીક ન હોવાના કારણે તેઓને રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલાની સુનાવણી માટે દિલ્હી આવવામાં અસમર્થ લાલૂ યાદવ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સામેલ થયા. મામલાની સુનાવણી દરમિયાન લાલૂ યાદવની હાજરી વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા અલગ રૂમમાં થઈ.
આ પણ વાંચો- Live: મમતા બેનરજીનો આજે મેગા શો, ભાજપે કહ્યું- થાકેલા પહેલવાન પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે