હેવાનિયતના ખાતમા માટે ફાંસી જ એકમાત્ર ઉકેલ?
રેપ કેપિટલ ઓફ ઇન્ડિયા કે પછી ક્રાઇમ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા બનેલા દિલ્હીમાં બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યાં છે. રવિવારે સાઉથ દિલ્હીમાં મેડિકલની વિદ્યાર્થિની પર ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. યુવતી પર એ હદે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે કે તેનું બચવું મુશ્કેલ હોવાનું તબીબોનું માનવું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશભરમાં હેવાનિયતના આ જધન્ય કૃત્ય સામે લોકોમાં પ્રકોપની જ્વાળા જાગી છે અને બધાનો એક જ સૂર છે કે હવસખોરોને ફાંસીની સજા આપવામાં આવે. લોકસભા અને રાજ્યસભા એમ સંસદના બન્ને સદનમાં આપણા નેતાઓ દ્વારા આ નિંદનીય અને દેશને શર્મસાર કરનારા કૃત્યની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી. સુષમા સ્વરાજ સહિતના નેતાઓ દ્વારા આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી, જ્યારે જયા બચ્ચન દ્વારા એવી સજાની માંગ કરવામાં આવી છે કે જેનાથી અન્ય કોઇ પણ બળાત્કાર જેવો ગંભીર ગુન્હો કરતા વિચારે. પણ શું આરોપીઓને ફાંસી આપવા માત્રથી દેશમાં વધી રહેલાં બળાત્કારના ગુન્હાને રોકી શકાશે ખરો? આજે વિશ્વ શક્તિ બનવા તરફ આગળ વધી રહેલા હિન્દુસ્તાનમાં આ પ્રશ્ન સૌથી મોટો ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

બળાત્કાર અંગે રાજનેતાઓના નિવેદન
સોનિયા ગાંધીઃ આ એક અત્યંત શરમજનક ઘટના છે અને આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે. શક્ય તેટલા કડક પગલાં ભરવા સૂચન કર્યું છે, જેથી દેશમાં આવી ઘટના પુનઃ ના થાય.
સુષમા સ્વરાજઃ આવા મામલાઓમાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી જોઇએ. 23 વર્ષીય યુવતીની હાલત નાજુક છે અને જો તે બચી જશે તો પણ તે જીવનભર એક જીવીત લાસ બનીને રહી જશે.
જયા બચ્ચનઃ જયા બચ્ચન દ્વારા એવી સજાની માંગ કરવામાં આવી છે કે જેનાથી અન્ય કોઇ પણ બળાત્કાર જેવો ગંભીર ગુન્હો કરતા વિચારે.
સ્મૃતિ ઇરાનીઃ બળાત્કાર માત્ર એક વિદ્યાર્થિની સાથે નથી થયો, પરંતુ દરેક મહિલા, કોઇની માતા, કોઇની બહેન કે પછી કોઇની દિકરી સાથે થયો છે. બળાત્કાર માતૃત્વનો થયો છે. તેના વિરોધ માટે મહિલા સાંસદ નહીં પરંતુ પુરુષ સાંસદ પણ આવે.
મીરા કુમારઃ આ ઘટનાએ શરમજનક છે, સરકાર આ મામલે તત્કાલ પગલા ભરે.
કમલનાથઃ આ મામલે આકરામાં આકરા પગલાં ભરવામાં આવે.
ગિરિજા વ્યાસઃ મહિલાઓ સાથેની જાતિય સતામણી રોકવા માટે સદનમાં એક વિધેયક દાખલ થાય અને રાજ્યોમાં આવા મામલાઓમાં તત્કાલ ન્યાય માટે ત્વરિત અદાલતની રચના કરવામાં આવે.
દેશભરમાં એક જ માંગ આરોપીઓને ફાંસી
સામુહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીને ન્યાય અપાવવા માટે આખા દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઇ સહિતના મેટ્રો શહેરોમાં લોકો એકઠા થઇ રહ્યાં છે. સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓની સુરક્ષાને લઇને અને પ્રશ્નો ખડા કરવામાં આવી રહ્યાંછે. દિલ્હીમાં જે ઘટના ઘટી તેવી ઘટના દેશના અન્ય ક્યાંય ના થાય તે માટે બળાત્કાર ગુજારનારાઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી નક્કર માંગ કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં 40 મીનિટે એક બળાત્કાર
વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ (એસોચૈમ)ની સામાજિક વિકાસ સંસ્થા તરફથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં દર 40 મિનિટે એક મહિલાનું અપહરણ અને બળાત્કાર થાય છે. આ ઉપરાંત શહેરના માર્ગો પર દર કલાકે એક મહિલાનું શારિરીક શોષણની ફરિયાદ થાય ચે અને દર 25 મિનિટે એક છેડતીની ઘટના બને છે. એસોચૈમના રિપોર્ટે દેશની રાજધાની દિલ્હીમાં સ્ત્રીઓની સુરક્ષા વ્યવસ્થાની પોલ ઉઘાડી પાડી દિધી છે.
મેટ્રો સિટીમાં મહિલાઓ અસુરક્ષિત
2003માં અમદાવાદમાં ન્યુ યરની પાર્ટી દરમિયાન બીજલ જોશી પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ જધન્ય કૃત્ય બાદ બીજલે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે પર દેશ શર્મસાર થયો હતો, પરંતુ આરોપીઓને જન્મટીપની સજા ફટકારવામાં આવી. એ ઘટનાને આજે 9 વર્ષ જેવું થઇ ગયું છે. ત્યારે પણ એવું લાગતું હતું કે હવે દેશમાં મહિલાઓ પરના અત્યાચાર ઓછા થશે પરંતુ વધ્યા છે. સુરતમાં સવારે ટ્યૂશન જતી વિદ્યાર્થિની પર સામુહિક બળાત્કાર ગુજારાયો હતો, આસામમાં એક યુવતીની રાત્રે સરાજાહેર છેડતી કરવામાં આવી હતી. કેરાલામાં પણ એક સગિરા સાથે બે વર્ષથી શોષણ થતું હોવાની વાત બહાર આવી. આજે દેશના કોઇપણ ખુણામાં જઇએ મહિલાઓ અસુરક્ષિત મહેસુસ કરી રહી છે. એક સર્વેક્ષણમાં દિલ્હીમાં 92 ટકા, બેંગ્લોરમાં 85 ટકા, કોલકતામાં 81 અને હૈદરાબાદમાં 18 ટકા મહિલાઓએ સ્વિકાર કર્યો છે કે તેઓ માટે સુરક્ષા એક મોટો પડકાર બની ગયો છે.
મોડી રાત સુધી કામ કરવું આજના સમયની જરૂરિયાત હોય 92 ટકા મહિલાઓએ મહિલા વિરુદ્ધના ગુન્હામઓને ગેરજમાનતી શ્રેણીમાં મુકવામાં આવે અને કેસના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરી છે. તો ક્યાંક ફાંસીની સજાની માંગો પણ કરવામાં આવી રહી છે, પરંતુ શું ખરેખર ફાંસી કે પછી આજીવન કેદથી આવા ગુન્હાઓને રોકી શકાશે ખરા?
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
