Corona Virus:શાળા, જીમ અને સિનેમા હોલ ખોલવાનો નિર્ણય ખતરાના ખેલ સમાન? આ રહ્યું કારણ!
દેશમાં કોરોના મહામારી બાદ હવે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. શાળાઓ, જીમ, સિનેમા હોલ, રેસ્ટોરાં વગેરે ફરી ખોલવામાં આવી રહ્યા છે.
દેશમાં કોરોના મહામારી બાદ હવે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. શાળાઓ, જીમ, સિનેમા હોલ, રેસ્ટોરાં વગેરે ફરી ખોલવામાં આવી રહ્યા છે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં કોરોના તેના બે વર્ષ પૂરા કરશે, આ સ્થિતિમાં લોકોએ કોરોના સાથે ધીરે ધીરે જીવવાનું શીખી લીધું છે અને તેમના સામાન્ય જીવનમાં પાછા આવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું કોરોનાની રસી લીધા પછી, આપણે ફરીથી પૂર્વ-કોરોના સ્થિતિમાં પહોંચી શકીએ છીએ, ફરી જૂની દિનચર્યાને અનુસરી શકીએ છીએ.

લોકો માટે રાહતની સૌથી મોટી વાત એ છે કે કોરોના રસી અસરકારક છે. ઘણા સંશોધનોમાં બહાર આવ્યું છે કે રસી લોકોને કોરોનાથી બચાવે છે. તાજેતરના લેન્સેટના રિસર્ચેમાં પણ પુષ્ટિ કરી છે કે રસી લીધા પછી હોસ્પિટલમાં જવાની સંભાવના નોંધપાત્ર રીતે ઓછી કરે છે. અમેરિકાની સીડીસીના તાજેતરના અહેવાલ મુજબ જો કોઈએ રસી લીધી હોય તો તે કોરોનાથી 17 ગણી વધુ સુરક્ષિત છે. રસી લેનાર વ્યક્તિની હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના પણ 17 ગણી ઓછી છે.
બીજી મોટી વાત એ છે કે કોરોનાની રસીએ ચોક્કસપણે લોકોને મોટી આશા બંધાવી છે, પરંતુ નવા સ્ટ્રેનથી ચિંતા પણ વધી છે. 'અવર વર્લ્ડ ઇન ડેટા' વેબસાઇટના ડેટા અનુસાર, ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ રસીકરણની ઝડપ ઘણી ઓછી છે. ભારતમાં હજુ પણ માત્ર 11 ટકા લોકો કોરોના રસીના બંને ડોઝ મેળવી શક્યા છે. જ્યારે યુએઈ આ યાદીમાં પ્રથમ ક્રમે છે, 74 ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે.
અન્ય દેશોની વાત કરીએ તો સ્પેનમાં 71 ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. જ્યારે ઉરુગ્વેમાં 72 ટકા, ચિલીમાં 71 ટકાને રસીના બંને ડોઝ મળ્યા છે. બીજી બાજુ, જો આપણે મોટા દેશોની વાત કરીએ તો, ફ્રાન્સમાં 59 ટકા, યુકેમાં 63 ટકા, જર્મનીમાં 60 ટકા, અમેરિકામાં 52 ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. કોરોનાના નવા સ્ટ્રેનની વાત કરીએ તો, રસીકરણ દર વધુ થયા પછી પણ ડેલ્ટા વેરિએન્ટને કારણે ઇઝરાયેલ અને અમેરિકામાં નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં રસીકરણ સાથે માસ્ક પહેરવાનો વધુ સારો વિકલ્પ છે અને સામાજિક અંતર હજુ પણ ખૂબ મહત્વનું છે, જેથી ભારત કોરોના મહામારીની ત્રીજી લહેરથી પોતાને બચાવી શકે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
