Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શું સંસદ ભવનના અશોક સ્તંભમાં બદલાવાઇ સિંહની આકૃતિ? ખુદ મુર્તિકારે જણાવી સચ્ચાઇ

નવી સંસદ ભવન પર રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રીય પ્રતીક સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં બનેલા સિંહો સારનાથ સ્થિત સ્તંભથી અલગ જ

નવી સંસદ ભવન પર રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રીય પ્રતીક સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં બનેલા સિંહો સારનાથ સ્થિત સ્તંભથી અલગ જ રૂપમાં જોવા મળે છે. વિપક્ષનું કહેવું છે કે થાંભલાના સિંહોના અભિવ્યક્તિ અને પાત્રમાં બદલાવ આવ્યો છે. આ રાષ્ટ્રીય પ્રતીક બનાવનાર શિલ્પકાર સુનીલ દેવડે તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે અશોક સ્તંભના મૂળ સ્વરૂપમાં ફેરફારના દાવાને ફગાવી દીધા છે.

નવી મૂર્તિ પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા

નવી મૂર્તિ પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા

નવી મૂર્તિને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નોને જોતા હવે શિલ્પકાર સુનિલ દેવડેએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. સુનિવ દેવડેએ કહ્યું કે, આ મૂર્તિ સારનાથની મૂર્તિની પ્રતિકૃતિ છે. વાયરલ થઈ રહેલો ફોટો વાઈડ એંગલથી લેવામાં આવ્યો છે અને તેના કારણે સિંહનો ચહેરો આક્રમક દેખાય છે. અમે કંઈપણ બદલ્યું નથી. અમે મ્યુઝિયમમાં જઈને ઘણું સંશોધન કર્યું છે... પ્રતિકૃતિ માત્ર અઢી ફૂટ લાંબી છે... જ્યારે આપણે તેને મોટું કરીએ છીએ, ત્યારે બધું ફેલાય છે.

'અશોક સ્તંભ બનાવવામાં અમને 9 મહિના જેટલો સમય લાગ્યો'

'અશોક સ્તંભ બનાવવામાં અમને 9 મહિના જેટલો સમય લાગ્યો'

બીજી તરફ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં સુનિલને સિંહોના વધુ ખુલ્લા મોં પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે તેનો ઈન્કાર કર્યો અને કહ્યું કે અમને સ્પષ્ટ બ્રિફ આપવામાં આવી હતી. આ વિશાળ અશોક સ્તંભને બનાવવામાં અમને લગભગ 9 મહિના જેટલો સમય લાગ્યો છે. અમને સરકાર તરફથી કોઈ સીધો કોન્ટ્રાક્ટ મળ્યો નથી. અમે કોઈના કહેવા પર કોઈ ફેરફાર કર્યો નથી. આ સારનાથમાં હાજર સ્તંભની નકલ છે. ટાટા સાથે અશોક સ્તંભ બનાવવાનો કરાર કરવામાં આવ્યો હતો. સુનીલ દ્વારા તેમને અશોક સ્તંભનું મોડલ દેખાડવામાં આવ્યું હતું, જ્યારે મંજુરી મળી ત્યારે તેના પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.

ગુસ્સે થયેલા સિંહો અંગે આ સ્પષ્ટતા આપવામાં આવી

ગુસ્સે થયેલા સિંહો અંગે આ સ્પષ્ટતા આપવામાં આવી

શિલ્પકારે કહ્યું કે, જુદા જુદા ખૂણા પ્રમાણે સિંહોની અભિવ્યક્તિમાં નોંધપાત્ર તફાવત છે. શિલ્પકાર દેવરેના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે તે નીચેથી લેવામાં આવી છે, તેથી સિંહોના હાવભાવ આક્રમક અને મોં મોટું દેખાય છે. તમને જણાવી દઈએ કે, વિપક્ષનું કહેવું છે કે આ ચિન્હમાં સિંહને આક્રમક અને ગુસ્સાવાળો બતાવવામાં આવ્યો છે. મોટા દાંત મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે મૂળ પ્રતીકમાં સિંહ એકદમ સૌમ્ય દેખાય છે.

સુનિલે અજંતા ઈલોરાની ગુફાઓની પ્રતિકૃતિ બનાવી છે

સુનિલે અજંતા ઈલોરાની ગુફાઓની પ્રતિકૃતિ બનાવી છે

તમને જણાવી દઈએ કે અશોક સ્તંભની આ પ્રતિકૃતિ મહારાષ્ટ્રના ઔરંગાબાદના સુનીલ દેવડે અને જયપુરના લક્ષ્મણે તૈયાર કરી છે. 49 વર્ષીય શિલ્પકાર સુનીલ દેવડે જેજે સ્કૂલ ઓફ આર્ટ્સના ગોલ્ડ મેડલિસ્ટ છે.આ ઉપરાંત સુનિલે અજંતા ઈલોરા વિઝિટર સેન્ટરમાં અજંતા ઈલોરા ગુફાઓની પ્રતિકૃતિઓ પણ બનાવી છે, જેની કિંમત 125 કરોડ હોવાનું કહેવાય છે. સુનીલ દેવડેના જણાવ્યા અનુસાર, તેમને રાષ્ટ્રીય પ્રતીકની માટી બનાવવામાં લગભગ 5 મહિનાનો સમય લાગ્યો હતો.

નવા અશોક સ્તંભનું વજન 16,000 કિલો

નવા અશોક સ્તંભનું વજન 16,000 કિલો

નવા અશોક સ્તંભની ઉંચાઈ 21 ફૂટ છે, જે 5 ફૂટની પેડેસ્ટલ પર મૂકવામાં આવી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કાંસ્ય પ્રતીકની ઊંચાઈ 6.5 મીટર છે અને સહાયક માળખું સહિત તેનું વજન 16,000 કિલો છે. તે 70 ટુકડાઓમાં તૈયાર કરવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X