'ઈસ્કૉન પોતાની ગૌશાળાઓમાંથી કસાઈઓને ગાયો વેચે છે', મેનકા ગાંધીના નિવેદન પર થયો હોબાળો
Maneka Gandhi Iskcon: ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના એક નિવેદનને લઈને હોબાળો થયો છે. વાસ્તવમાં, મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે ઈસ્કૉન તેની ગૌશાળામાંથી ગાયોને કસાઈઓને વેચે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મેનકા ગાંધી કહેતા જોવા મળી રહ્યા છે કે ઈસ્કૉન ગૌશાળાના નામે સરકાર પાસેથી જમીન અને અન્ય સુવિધાઓ લે છે પરંતુ તે સૌથી મોટી છેતરપિંડી કરનાર છે.

તમને જણાવી દઈએ કે મેનકા ગાંધી પણ પ્રાણીઓના અધિકાર માટે કામ કરે છે. પોતાના નિવેદનમાં મેનકા ગાંધીએ કહ્યું, 'હું તાજેતરમાં આંધ્ર પ્રદેશમાં તેમની અનંતપુર સ્થિત ગૌશાળામાં ગઈ હતી અને મને એક પણ ગાય સારી હાલતમાં મળી ન હતી. ત્યાં એક પણ વાછરડું ન હતું, જેનો અર્થ છે કે તે બધા વેચાઈ ગયા હતા. ઇસ્કૉન ગૌશાળા બનાવે છે, સરકાર પાસેથી તેમના નામે ઘણી જમીન મેળવે છે અને પછી ગૌશાળામાંથી ગાયોને કસાઈઓને વેચે છે.'
મેનકા ગાંધીએ વધુમાં કહ્યું કે, 'ઈસ્કૉનથી વધુ ગાયો કસાઈઓને કોઈ વેચતું નથી. આ એ જ લોકો છે જે હરે રામ હરે કૃષ્ણના નારા લગાવતા રસ્તાઓ પર આવીને કહે છે કે આપણું જીવન માત્ર ગાયના દૂધ પર નિર્ભર છે.' હવે મેનકા ગાંધીના આ નિવેદન પર ઇસ્કૉનની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
મેનકા ગાંધીના આરોપોને નકારી કાઢતા ઈસ્કૉને કહ્યું કે બીજેપી સાંસદનું આ નિવેદન સાંભળીને આશ્ચર્ય થયું છે અને તેના તમામ આરોપો ખોટા છે. ઇસ્કૉનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદ દાસે જણાવ્યું હતું કે, 'ઇસ્કૉને વિશ્વના ઘણા દેશોમાં ગાયોના રક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી છે જ્યાં ગૌમાંસ લોકોનો મુખ્ય ખોરાક છે. આવી ઘણી ગાયોની ઈસ્કૉનની ગૌશાળામાં સેવા કરવામાં આવી રહી છે, જેને રસ્તા પર ત્યજી દેવામાં આવી હતી, કેટલીક ઘાયલ હાલતમાં મળી આવી હતી અને કેટલીક એવી ગાયો છે જેને કતલ થતા બચાવી લેવામાં આવી હતી.'












Click it and Unblock the Notifications
