નવા વર્ષે થયેલ આતંકી હુમલો હતો 'અફઝલ ગુરૂનો બદલો'?
નવા વર્ષે થયેલ આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી જૈશ-એ-મોહમ્મદે ઠાર મરાયેલ આતંકીની બંદૂક પર લખાણ હતું, અફઝલ ગુરૂ કા બદલા આ અંગે વધુ વાંચો અહીં...
સોમવારે નવા વર્ષના દિવસે જમ્મુ-કાશ્મીરના લોથોપારામાં થયેલ અથડામણમાં પાંચ જવાન શહીદ થયા હતા અને ત્રણ આંતકી મૃત્યુ પામ્યા હતા. આ અથડામણ બાદ ફરી એકવાર અફઝલ ગુરૂનો મુદ્દો ઉઠ્યો છે. સુરક્ષાદળોએ જે ત્રીજા આતંકીને ઠાર માર્યો હતો, તેની પાસેથી એક એકે-47 રાયફલ મળી હતી અને તેની પર લખેલું હતું, અફઝલ ગુરૂનો બદલો. આ મૃત આતંકી પાકિસ્તાની નાગરિક હતો. નવા વર્ષે થયેલ આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે અને આને કારણે જૂની કેટલીક યાદો તાજી થઇ છે.

વર્ષ 2015માં એક આતંકી હુમલામાં જૈશ-મોહમ્મદના હુમલા પાછળનું કારણ અફજલ ગુરૂની ફાંસીની સજા ગણાવવામાં આવ્યું હતું. વર્ષ 2015માં થયેલ હુમલામાં પણ અનેક જવાન શહીદ થયા હતા. નવા વર્ષે થયેલ આતંકી હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે અને જે આતંકીઓનું મૃત્યુ થયું છે એ સ્થાનિક હોવાની જાણકારી મળી છે. મૃતક આતંકીઓની ઓળખાણ ફરદીન ખંડે(16) અને મંજૂર બાબા(22) તરીકે થઇ છે.
આતંકીએ જાહેર કર્યો હતો વીડિયો
કહેવાઇ રહ્યું છે કે, ખંડે આતંકી બનવાના ત્રણ મહિના પહેલા અભ્યાસ કરતો હતો અને તેના પિતા પોલીસમાં છે. આતંકી બાબા અંગે કહેવિ રહ્યું છે કે, આતંકી બનવાના 2 મહિના પહેલા તે ડ્રાઇવરની નોકરી હતી. મીડિયાના અહેવાલો અનુસાર, બાબાની માતાએ તેની સાથે વાત કરી હતી અને તેને ઘરે પરત ફરવા વિનંતીકરી હતી. આતંકી હુમલા પહેલાં બાબાએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, જ્યાં સુધીમાં આ વીડિયો તમારી પાસે આવશે, હું જન્નતમાં પહોંચી ગયો હોઇશ. બેરોજગારી કાશ્મીરના યુવાઓને આતંક તરફ ધકેલી રહી છે. સાથે જ તેણે સેના કાશ્મીરમાં હોવા અંગે પણ પ્રશ્ન કર્યો હતો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
