જલિયાવાલા બાગ નરસંહાર શરમજનક ઘટના હતી: કેમરુન

ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુને અમૃતસરમાં જલિયાવાલા બાગ શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડેવિડ કેમરુને વિઝિટર બુકમાં લખ્યું હતું કે 'જલિયાવાલા બાગ નરસંહાર શરમજનક ઘટના હતી.'
લગભગ એક સદી થઇ ગઇ હોવાછતાં લોકોના દિલમાં આ નરસંહારની જ્વાળા આજેપણ સળગી રહી છે. ડેવિડ કેમરુન બુધવારે અમૃતસર આવી ગયા છે. તેમનું શહીદી સ્થળ જલિયાવાલા બાગમાં જવાનો કાર્યક્રમ છે જ્યાં તે 30 મિનિટ રહેશે અને પોતાના શ્રદ્ધા સુમન અપર્ણ કરશે. તેમની સાથે મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ જશે. આ નૃશંસ હત્યાકાંડ બાદ ગત 94 વર્ષોમાં પ્રથમ તક છે, જ્યારે બ્રિટેનના કોઇ વડાપ્રધાને આ શહીદી સ્થળની મુલાકાત લીધી હોય.
ડેવિડ કેમરુના દિલો દિમાગમાં શું ચાલી રહ્યું છે પરંતુ અમૃતસરના રહેવાસીઓના મનમાં જનરલ ડાયર પ્રત્યે આજેપણ આક્રોશ છે. લોકોની આ પ્રબળ ઇચ્છા છે કે ડેવિડ કેમરુન જનરલ ડાયરના કૃત્ય માટે જલિયાવાલા બાગમાં ઉભા રહીને ભારતીયોની માફી માંગે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 1997માં ઇગ્લેંડની મહારાણી એલિઝાબેથ પણ જલિયાવાલા બાગ આવી હતી, પરંતુ તેમને નરસંહાર માટે માફી માંગી ન હતી. હવે ડેવિડ કેમરુન માફી માંગે છે કે નહી તેના પર દેશની નજર મંડરાયેલી છે.
જલિયાબાગ ઉપરાંત તે લગભગ નવ વાગે શ્રી હરિમંદિર સાહેબ પણ જશે. ડેવિડ કેમરુનના પ્રવાસને ધ્યાનમાં રાખતાં આઠ જિલ્લાની પોલીસ ગોઠવી દેવામાં આવી છે. સવારે સાડા પાંચ વાગે જ જલિયાવાલા બાગમાં કોઇપણ વ્યક્તિને દાખલ થવા દેવામાં નહી આવે. જલિયાવાલા બાગની આસપાસના બધા ભવનો પર પોલીસદળ ગોઠવી દેવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
