જલિયાવાલા બાગ નરસંહાર શરમજનક ઘટના હતી: કેમરુન

ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુને અમૃતસરમાં જલિયાવાલા બાગ શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડેવિડ કેમરુને વિઝિટર બુકમાં લખ્યું હતું કે 'જલિયાવાલા બાગ નરસંહાર શરમજનક ઘટના હતી.'
લગભગ એક સદી થઇ ગઇ હોવાછતાં લોકોના દિલમાં આ નરસંહારની જ્વાળા આજેપણ સળગી રહી છે. ડેવિડ કેમરુન બુધવારે અમૃતસર આવી ગયા છે. તેમનું શહીદી સ્થળ જલિયાવાલા બાગમાં જવાનો કાર્યક્રમ છે જ્યાં તે 30 મિનિટ રહેશે અને પોતાના શ્રદ્ધા સુમન અપર્ણ કરશે. તેમની સાથે મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ જશે. આ નૃશંસ હત્યાકાંડ બાદ ગત 94 વર્ષોમાં પ્રથમ તક છે, જ્યારે બ્રિટેનના કોઇ વડાપ્રધાને આ શહીદી સ્થળની મુલાકાત લીધી હોય.
ડેવિડ કેમરુના દિલો દિમાગમાં શું ચાલી રહ્યું છે પરંતુ અમૃતસરના રહેવાસીઓના મનમાં જનરલ ડાયર પ્રત્યે આજેપણ આક્રોશ છે. લોકોની આ પ્રબળ ઇચ્છા છે કે ડેવિડ કેમરુન જનરલ ડાયરના કૃત્ય માટે જલિયાવાલા બાગમાં ઉભા રહીને ભારતીયોની માફી માંગે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 1997માં ઇગ્લેંડની મહારાણી એલિઝાબેથ પણ જલિયાવાલા બાગ આવી હતી, પરંતુ તેમને નરસંહાર માટે માફી માંગી ન હતી. હવે ડેવિડ કેમરુન માફી માંગે છે કે નહી તેના પર દેશની નજર મંડરાયેલી છે.
જલિયાબાગ ઉપરાંત તે લગભગ નવ વાગે શ્રી હરિમંદિર સાહેબ પણ જશે. ડેવિડ કેમરુનના પ્રવાસને ધ્યાનમાં રાખતાં આઠ જિલ્લાની પોલીસ ગોઠવી દેવામાં આવી છે. સવારે સાડા પાંચ વાગે જ જલિયાવાલા બાગમાં કોઇપણ વ્યક્તિને દાખલ થવા દેવામાં નહી આવે. જલિયાવાલા બાગની આસપાસના બધા ભવનો પર પોલીસદળ ગોઠવી દેવામાં આવ્યાં છે.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
