જમ્મૂ કાશ્મીર: ઘાટીમાં 2020-2022 વચ્ચે 9 કાશ્મીરી પંડિતોની હત્યા થઇ, સૌથી વધારે મોત આ વર્ષે
2020 થી 2022 વચ્ચે કાશ્મીરમાં 9 જેટલા કાશ્મીરી પંડીતોની હત્યા કરવામા આવી હોવાની વાત ગૃહ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ દ્વારા આ માહિતિ લેખિત સ્વરૂપમાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જાણકારી આપી હતી કે, 2020 થી 2022 દરમિયાન કાશ્મીરી ઘાટીમાં કુલ 9 કાશ્મીરી પંડિતોની હત્યા થઇ હતી. 9 માથી કાશ્મીરી રાજપુત સમુદાયના એક વ્યક્તિ સહિત ચાર કાશ્મીરી પંડિતને 2022 માં મારવામાં આવ્યા છે. ચારને 2021 માં એક ને અને 2020 માં મારવામાં આવ્યો હતો. કોગ્રેસ સાંસદ રાજમણી પટેલને એક લેખીત ઉત્તરમાં આપતા બુધવારે કેન્દ્રીય ગૃહરાજ્યમ મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આ આકંડા આપ્યા હતા.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મત્રી નિત્યાનંદ રાયે વધુમાં જણાવ્યુ હતુ કે, " આતંકવાદ વિરુધ જીરો ટોલરેન્સની નીતિ અનુસાર કામ કરવામાં આવી રહ્યુ છે. તેમણે એ પણ કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. મંત્રી નિત્યાનંદ રાયે વાત પણ કરી હતી કે, આતંકવાદ હુમલામાં 2018 માં 417 માથી 2021 માં 229 સુધી ઘટાડો જોવા મળ્યો છે.
"શુ એ સાચુ છે કે, જમ્મુ કાશ્મીરની સુરક્ષા માટે ભારે મોટી રકમ ખર્ચ કરવામાં આવે છે", આ સ્વાલના જવાબ પર આપતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ કે,. ઘણી એજેન્સી અે સંગઠન છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની સુરક્ષા માટે કામ કરે છે. આ જોતા આ ઉદેશ્ય માટે વ્યયની માહિતી કેન્દ્રીય રૂપથી નથી રાખવામાં આવતી. રાયે એ પણ કહ્યુ કે, ગૃહ મંત્રાલયમાં 2019 થી 2021 વચ્ચે જમ્મુ કાશ્મીરની પોલીસ પર સુરક્ષા સંબંધી વ્યયના રૂપમાં કુલ 2,814,095 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
મંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ કે, આ ત્રણ વર્ષો દરમિયાન કુલ જાવકમાં 2021 ના વર્ષમાં 936,095 કરોડ, 2020 માં 611 કરોડ રૂપિયા 2019 માં 1,267 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. નિત્યાનંદ રાયે વધુમાં જણાવ્યુ હતુ કે, ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં નાગરીકોના જીવનની રક્ષા માટે કોઇ ઉપાય કરવામાં આવ્યો છે તેના જેમા રણનિતિક પોઇન્ટ પર ચૌવીસ કલાક બંધી લગાવીને રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ કાયદાને ક઼ડક રીતે કાયદો લાગુ કરવો તેનો સમાવેશ થાય છએ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
