જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF પર હુમલાની જવાબદારી ISISએ લીધી, પોલિસનો દાવો ફગાવ્યો
બુધવારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના લાવેપોરામાં થયેલા એનકાઉન્ટરની જવાબદારી આતંકી સંગઠન આઈએસઆઈએસે લીધી છે.
બુધવારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના લાવેપોરામાં થયેલા એનકાઉન્ટરની જવાબદારી આતંકી સંગઠન આઈએસઆઈએસે લીધી છે. આતંકી સંગઠનની મીડિયા વિંગ અમાક પર સંગઠને લખ્યુ છે કે તેના આતંકીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો અને સુરક્ષાબળોને ઘણુ નુકશાન પહોંચાડ્યુ છે. હજુ સુધી એ અંગેની કોઈ માહિતી મળી નથી કે આ હુમલામાં સંગઠનને કેટલુ નુકશાન થયુ. આ એનકાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો હતો.

અચાનક થયો હતો હુમલો
એનકાઉન્ટર શ્રીનગરના લાવેપોરા વિસ્તારમાં થયુ હતુ. અહીં ફાયરિંગનો અવાજ સાંભળવામાં આવ્યો હતો. એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા હતા અને એક આતંકીને ઘાયલ અવસ્થામાં પકડવામાં આવ્યો હતો. જો કે બાદમાં તેનુ મોત થઈ ગયુ હતુ. આતંકીઓએ શ્રીનગરના પરીમ પોરા ચેક પોસ્ટ પર અચાનક હુમલો કરી દીધો હતો. આઈએસઆઈએસે દાવો કર્યો છે કે તેના આતંકીઓએ જ સુરક્ષાબળોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલિસે આ દાવાને માનવાનો ઈનકાર કરી દીધો છે. ડીજીપીનો દાવો છે કે જે ત્રણ આતંકી માર્યા ગયા છે. તે બધા અલગ અલગ સંગઠનોમાંથી આવે છે.
તેમણે જણાવ્યુ કે એક આતંકી લશ્કર-એ-તૈયબા, એક આઈએસઆઈએસ અને એક હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો. પોલિસનુ કહેવુ છે કે સંગઠને કહ્યુ છે કે તેના આતંકીઓએ સુરક્ષાબળ પર હુમલો કર્યો હતો કે જે સંપૂર્ણપણે ખોટુ છે. જે જવાન આ એનકાઉન્ટરમાં શહીદ થયો છે તે બિહારના આરા જિલ્લાનો રહેવાસી હતો. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે આતંકી માર્યા ગયા છે તેની શોધ સેનાને છેલ્લા ઘણા દિવસોથી હતી. જ્યારે બુધવારની સવારે તેમના વિશે સીઆરપીએફને સૂચના મળી ત્યારે ઑપરેશનને અંજામ આપવામાં આવ્યુ.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
