જમ્મુ કાશ્મીર: શ્રીનગર અને શોપિયાંમાં ગ્રેનેડથી આતંકી હુમલો
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શુક્રવારે લાલ ચોક પર આતંકી હુમલો થયો છે. સ્થાનીય રિપોર્ટ અનુસાર, આતંકીઓ ઘ્વારા સેના પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે,
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શુક્રવારે લાલ ચોક પર આતંકી હુમલો થયો છે. સ્થાનીય રિપોર્ટ અનુસાર, આતંકીઓ ઘ્વારા સેના પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઘણા વાહનોને નુકશાન થયું છે. છેલ્લા 24 કલાકમાં ઘાટીમાં સેના પર આ બીજો આતંકી હુમલો છે. ત્યાં જ બીજી બાજુ શોપિયાંમાં પણ આતંકી હુમલો થયો છે, જેમાં પોલીસ કેમ્પને નિશાનો બનાવવામાં આવ્યો છે. હાલમાં આ ઘટનાની વધારે જાણકારી વિશે રાહ જોવાઈ રહી છે.
આ પહેલા જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ગુરુવારે આતંકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કર્યો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા છે. આતંકીઓ ઘ્વારા કાલે ઝીરો બ્રિજ પાસે પોલીસ પાર્ટી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક એસઆઈ અને બે કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા.
Jammu and Kashmir: Blast at Ghanta Ghar Chowk in Srinagar. More details awaited. pic.twitter.com/fG6a1TRmMT
— ANI (@ANI) January 18, 2019
શ્રીનગરમાં આજે અને કાલે થયેલા આતંકી હુમલામાં કોઈ ખાસ ફરક નથી. આતંકીઓએ કાલે જે જગ્યા પર હુમલો કર્યો હતો તે લાલ ચોકથી થોડે જ દૂર છે. જયારે આજે પણ આતંકીઓએ લાલ ચોક નજીક ઘંટા ઘર પાસે સેનાના જવાનોએ નિશાનો બનાવ્યા.